‘આદિ કવિ‘ ભક્ત નરસિંહ મહેતા
લગભગ ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ સ્હેજ પણ જૂનાં નથી લાગતાં. કલમના કસબી આ કવિને ગુજરાતના ‘આદિ કવિ‘ તરીકે ઓળખાવવામાં આવે છે.
નરસિંહ મહેતા ઈ. સ.ની પંદરમી સદીમાં થઈ ગયા. જીવનનો મોટોભાગ તેમણે જૂનાગઢમાં વિતાવ્યો હતો. તેના પિતાનું નામ કૃષ્ણદામોદર અને માતાનું નામ શ્રી દયાકુંવરી હતું. તેઓ નાગર નાતના હતા. નાગરો સામાન્ય રીતે રાજકારભારની નોકરી કરતા હોય છે એટલે નરસિંહ મહેતાના પરિવારને ‘મહેતા‘ તરીકે ઓળખવામાં આવતા.
નરસિંહનાં ભાગ્ય ગણો કે પ્રભુની લીલા ગણો, પણ તેના જીવનમાં બનાવો જ એક પછી એક એ રીતે બન્યા કે જે નિમિત્તે નરસિંહને ઈશ્વરનું ભજન કરવાની, તેની પાસે મદદ માગવાની અને ઈશ્વર પાસેથી મદદ મળતાં, તેની લીલા ગાવાની તક મળતી રહી. તેના જીવનમાં એક પછી એક દુઃખના પ્રસંગો આવ્યા હતા. નરસિંહ કોઈ સામાન્ય સંસારી ન હતા કે દુઃખ જોઈને ગભરાઈ જાય. દુઃખના પ્રસંગે પ્રભુએ પધારી તેની સહાય કરી હતી. પ્રભુ આવીને સહાય કરે એટલે નરસિંહ પ્રભુનો મહિમા કરતાં ભજનોની રચના કરે. આમ જીવનના દુઃખમય પ્રસંગોને, તેણે પ્રભુનો મહિમા ગાવાના ધન્ય પ્રસંગો તરીકે સ્વીકારી લીધા હતા. આટલી નમ્રતાના કારણે જ નરસિંહનું કરુણતાથી ભરેલું જીવન આજે પણ લોકોમાં આસ્થા જગાડે છે.
નરસિંહ એક અજોડ માનવ
નરસિંહ એક ઉત્તમ કવિ અને વિનમ્ર ભક્ત હતા, પણ તેની ભક્તિમાં બીજા ગુણો પણ ભળેલા હતા. ભક્ત હંમેશાં નમ્ર હોય છે એટલે તે બધાને આદર આપતો હોય છે. નરસિંહ હરકોઈ વ્યક્તિને સમાન ગણે છે. તેની નજરમાં કોઈ ઊંચો નથી તો કોઈ નીચો નથી. એટલે જ ભજન કરવા માટે તે હરિજનવાસમાં જાય છે. એ જમાનો એટલે રૂઢિની દાસતાનો જમાનો. જ્ઞાતિના ચુસ્ત નિયમોને કોઈ તોડી ના શકે. નાગરો એટલા તો મરજાદી કે બીજાના હાથનું અડેલું પાણી પણ ન પીએ. આવા જડ નિયમવાળા જમાનામાં જીવતા હોવા છતાં નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો તોડે છે. એ જમાનામાં હરિજનવાસમાં જવું એ ઓછી હિંમતની વાત ન હતી !
આમ નરસિંહ એક સાચા માનવ હતા. ન્યાતજાતના ભેદને તેમણે ઠોકરે માર્યા હતા. હરિજનો સાથે ભજન ગાવા માટે જ્ઞાતિજનોનો રોષ તેમણે વહોરી લીધો હતો. સગાસંબંધીઓનો તિરસ્કાર પણ તેને સહન કરવો પડ્યો હતો. સગાસંબંધીઓએ તેને ધુત્કારી કાઢ્યો તો યે સહેજ પણ ડગ્યા વગર તેણે કહ્યું –
"ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કરશો
તો કરશું દામોદરની સેવા.... "
આ ઉદારતા તેમના માટે કષ્ટરૂપ બની ગઈ હતી. સ્વયં તેનાં જ સગાંઓ તેની ક્રૂર મજાર અને ટીખળ કરતાં હતાં. નરસિંહે હિંમતભેર આ તિરસ્કાર અને અપમાન સહન કર્યાં હતાં. કહો કે એક જાતનું તપ તેણે કર્યું. લોકો તરફથી મળતા અપમાન કે તિરસ્કારને ધ્યાનમાં લીધા વગર તે ભક્તિમાં તલ્લીન રહ્યા.
તેને ભગવાન હાજરાહજૂર હતા. તેના જીવનમાં આવેલ કોઈ પણ આફતના પ્રસંગમાંથી તે સારી રીતે બહાર આવી શક્યા છતાં, પોતાની શક્તિનું તેમને ગુમાન પણ નથી. પોતે માત્ર તાળી વગાડી ભજન કરવાની જ શક્તિ ધરાવે છે તેમ તે કહેતા હતા.
અછૂત મનાતા લોકો માટે તેણે જ સહુપ્રથમ સહ્રદયતાથી હરિજન શબ્દ વાપર્યો. હરિજન એટલે હરિના જન ! જે હરિથી ડરીને ચાલે, હરિમાં વિશ્વાસ રાખે તે હરિજન. તેની બીજી કોઈ નાતજાત નથી. નરસિંહ અજોડ હોવા છતાં સીધા, સાદા અને સરળ હતા.
લગભગ ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા આ ભક્તકવિની કલમમાં એવું બળ અને મોહિની છે કે આજે ય તેનાં લખેલાં ભજનો કે રાસ સ્હેજ પણ જૂનાં નથી લાગતાં. કલમના કસબી આ કવિને ગુજરાતના ‘આદિ કવિ‘ તરીકે ઓળખાવવામાં આવે છે.
નરસિંહ મહેતા ઈ. સ.ની પંદરમી સદીમાં થઈ ગયા. જીવનનો મોટોભાગ તેમણે જૂનાગઢમાં વિતાવ્યો હતો. તેના પિતાનું નામ કૃષ્ણદામોદર અને માતાનું નામ શ્રી દયાકુંવરી હતું. તેઓ નાગર નાતના હતા. નાગરો સામાન્ય રીતે રાજકારભારની નોકરી કરતા હોય છે એટલે નરસિંહ મહેતાના પરિવારને ‘મહેતા‘ તરીકે ઓળખવામાં આવતા.
નરસિંહનાં ભાગ્ય ગણો કે પ્રભુની લીલા ગણો, પણ તેના જીવનમાં બનાવો જ એક પછી એક એ રીતે બન્યા કે જે નિમિત્તે નરસિંહને ઈશ્વરનું ભજન કરવાની, તેની પાસે મદદ માગવાની અને ઈશ્વર પાસેથી મદદ મળતાં, તેની લીલા ગાવાની તક મળતી રહી. તેના જીવનમાં એક પછી એક દુઃખના પ્રસંગો આવ્યા હતા. નરસિંહ કોઈ સામાન્ય સંસારી ન હતા કે દુઃખ જોઈને ગભરાઈ જાય. દુઃખના પ્રસંગે પ્રભુએ પધારી તેની સહાય કરી હતી. પ્રભુ આવીને સહાય કરે એટલે નરસિંહ પ્રભુનો મહિમા કરતાં ભજનોની રચના કરે. આમ જીવનના દુઃખમય પ્રસંગોને, તેણે પ્રભુનો મહિમા ગાવાના ધન્ય પ્રસંગો તરીકે સ્વીકારી લીધા હતા. આટલી નમ્રતાના કારણે જ નરસિંહનું કરુણતાથી ભરેલું જીવન આજે પણ લોકોમાં આસ્થા જગાડે છે.
નરસિંહ એક અજોડ માનવ
નરસિંહ એક ઉત્તમ કવિ અને વિનમ્ર ભક્ત હતા, પણ તેની ભક્તિમાં બીજા ગુણો પણ ભળેલા હતા. ભક્ત હંમેશાં નમ્ર હોય છે એટલે તે બધાને આદર આપતો હોય છે. નરસિંહ હરકોઈ વ્યક્તિને સમાન ગણે છે. તેની નજરમાં કોઈ ઊંચો નથી તો કોઈ નીચો નથી. એટલે જ ભજન કરવા માટે તે હરિજનવાસમાં જાય છે. એ જમાનો એટલે રૂઢિની દાસતાનો જમાનો. જ્ઞાતિના ચુસ્ત નિયમોને કોઈ તોડી ના શકે. નાગરો એટલા તો મરજાદી કે બીજાના હાથનું અડેલું પાણી પણ ન પીએ. આવા જડ નિયમવાળા જમાનામાં જીવતા હોવા છતાં નરસિંહ હિંમતભેર તે વખતનાં સમાજનાં બંધનો તોડે છે. એ જમાનામાં હરિજનવાસમાં જવું એ ઓછી હિંમતની વાત ન હતી !
આમ નરસિંહ એક સાચા માનવ હતા. ન્યાતજાતના ભેદને તેમણે ઠોકરે માર્યા હતા. હરિજનો સાથે ભજન ગાવા માટે જ્ઞાતિજનોનો રોષ તેમણે વહોરી લીધો હતો. સગાસંબંધીઓનો તિરસ્કાર પણ તેને સહન કરવો પડ્યો હતો. સગાસંબંધીઓએ તેને ધુત્કારી કાઢ્યો તો યે સહેજ પણ ડગ્યા વગર તેણે કહ્યું –
"ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કરશો
તો કરશું દામોદરની સેવા.... "
આ ઉદારતા તેમના માટે કષ્ટરૂપ બની ગઈ હતી. સ્વયં તેનાં જ સગાંઓ તેની ક્રૂર મજાર અને ટીખળ કરતાં હતાં. નરસિંહે હિંમતભેર આ તિરસ્કાર અને અપમાન સહન કર્યાં હતાં. કહો કે એક જાતનું તપ તેણે કર્યું. લોકો તરફથી મળતા અપમાન કે તિરસ્કારને ધ્યાનમાં લીધા વગર તે ભક્તિમાં તલ્લીન રહ્યા.
તેને ભગવાન હાજરાહજૂર હતા. તેના જીવનમાં આવેલ કોઈ પણ આફતના પ્રસંગમાંથી તે સારી રીતે બહાર આવી શક્યા છતાં, પોતાની શક્તિનું તેમને ગુમાન પણ નથી. પોતે માત્ર તાળી વગાડી ભજન કરવાની જ શક્તિ ધરાવે છે તેમ તે કહેતા હતા.
અછૂત મનાતા લોકો માટે તેણે જ સહુપ્રથમ સહ્રદયતાથી હરિજન શબ્દ વાપર્યો. હરિજન એટલે હરિના જન ! જે હરિથી ડરીને ચાલે, હરિમાં વિશ્વાસ રાખે તે હરિજન. તેની બીજી કોઈ નાતજાત નથી. નરસિંહ અજોડ હોવા છતાં સીધા, સાદા અને સરળ હતા.
દયાનંદ સરસ્વતી
આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી પાસેના ટંકારા ગામમાં થયો હતો. મહાશિવરાત્રીની પૂજા કરતા મૂળશંકરને શિવલિંગ ઉપર ઉંદરો ફરતા જોયા અને મૂર્તિપૂજાના આડંબર, રહસ્યને શોધવા પાછળ પોતાના જીવનના શ્રેષ્ઠ વર્ષો ખર્ચીને ભારતને સાચા વૈદિક ધર્મની ઓળખ કરાવી. પચીસ વર્ષની વયે સંન્યાસ લીધો. એમના અંતરમાં જ્ઞાનનું તેજ અને કર્મનો ઉત્સાહ પ્રગટ્યો. પ્રજાકીય જાગૃતિ માટે સમગ્ર ભારતમાં ઘૂમી વળ્યાં. વિદેશી વિદ્વાનોએ આર્ય સંસ્કૃતિ અને વૈદિક ધર્મને લાંછન લગાડવાના કરેલા પ્રયાસોનો તેમણે જડબાતોડ જવાબ આપીને ભારતીય સંપ્રદાય નિરપેક્ષતાનું પ્રતિપાદન કર્યું. ૫૧ વર્ષની વયે તેમણે આર્યસમાજની સ્થાપના કરી. હિંદીનું માહાત્મ્ય સમજી તેમણે‘સત્યાર્થ પ્રકાશ‘ હિંદીમાં લખ્યું. સમાજ સુધારણા અને અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં તેમણે ભગીરથ કામ કર્યું. ઈશ્વર માત્ર મૂર્તિમાં જ નથી એમ તેઓ માનતા. ખોટા ધર્મનું ખંડન કરતા તે અચકાતા નહીં. વિરોધીઓએ દૂધમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું. દીપાવલીના મંગળ દિને તા. ૩૦-૧૦-૧૮૮૩ના રોજ પ્રણવનાદ કરીને સદાને માટે પોઢી ગયા એક બાજુ સ્વામી દયાનંદનો જીવનદીપ બુઝાયો અને બીજી બાજુ ઘેર ઘેર દીપકો પ્રગટી ઊઠ્યા.
દલિતોના ઉદ્ધારક ઠક્કરબાપા
ભાવનગરની એક શેરીમાં બે માળનું એક જૂનું મકાન હતું. તેમાં રહેતા કુટુંબનો આઠેક વરસનો છોકરો તેની માતાને પૂછી રહ્યો હતો :
‘બા, આ ખાવાનુંમાગનારો એવી ગંદી જગ્યાએ કેમ બેસે છે? ’
‘બોલ બોલ ના કર’ એમ કહી તેની માતાને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.
‘પણ બા તેને આપણા ચોતરે બેસાડીએ તો શો વાંધો ? ’
‘તને ખબર નથી ? એ લોકો અછૂત કહેવાય તેમને અડકાય નહિ. ’ ભલી, ભોળી પણ જુનવાણી સંસ્કારોવાળી માતા તેને સમજણ પાડે છે.
‘પણ બિચારો... ’ છોકરો આગળ બોલે તે પહેલાં તેને રમવા જવાનું કહી દે છે. ને તે દોડતો રમવા જતો રહે છે.
એ આઠ વરસનો છોકરો એટલે અમૃતલાલ ઠક્કર, જે મોટો થયો ત્યારે ‘ઠક્કરબાપા’ ના નામે લોકપ્રીય બન્યો. તેમનો જન્મ ભાવનગરમાં સાધારણ સ્થિતિમાં લોહાણા કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ વિઠ્ઠલદાસ અને માતાનું નામ મૂળીબાઇ. તેમને પાંચ ભાઇ અને એક બહેન હતાં. તેમનું કુટુંબ સંસ્કારી હતું. પિતા સામાન્ય પગારમાં એક વેપારીને ત્યાં ગુમાસ્તાની નોકરી કરતા. અમૃતલાલ ભણવામાં હોશીયાર હતા. ઇ.સ. ૧૮૮૬માં મેટ્રિક પ્રથમ વર્ગમાં પાસ કરીને તેમણે ‘સર જશવંતસિંહજી શિષ્યવૃતિ’ મેળવી હતી. પછી તેઓ પૂનાની કૉલેજમાં ઇજનેરી ભણવા ગયા. ૧૮૯૦માં તેમણે ઇજનેરી ડિગ્રી પ્રાપ્ત કરી અને રેલવેમાં ઓવરસિયર તરીકે નોકરી લીધી. પાછળથી મદદનીશ ઇજનેર બન્યા. નોકરી દરમિયાન તેમને સૌરાષ્ટ્રનાં ઘણાં સ્થળોએ ફરવાનું બન્યું. તે વખતે તેમનો પગાર માસિક ૨૭૫ રૂપિયા હતો.?
એક વખત રેલવેના પાટા નાખવાનું કામ ચાલતું હતું. પોતાની જમીન તેમાં કપાઇ ન જાય તે માટે ખેડૂતો ઠક્કર સાહેબને લાંચ આપવા નાણાંની થેલીઓ લઇને આવ્યા. તેમણે આ ખેડૂતોને ઠપકો આપીને પાછા મોકલી દીધા ! તેમની પ્રામાણિકતા લાંચપ્રેમી લોકોને ખટકી. તેમની વિરુદ્ઘ કાવાદાવા થવા લાગ્યા. આથી ઠક્કર સાહેબે રાજીનામું મૂકી દીધું. પ્રામાણિકતાનો ગુણ તેમના લોહીમાં જન્મથી જ હતો.
પૂર્વ આફ્રિકામાં યુગાન્ડામાં રેલવે નખાતી હતી. ત્યાં તેમણે અરજી કરી અને તરત રૂપિયા ૩૦૦ના પગારે ત્યાં જતા રહ્યા. ત્રણ વરસે પાછા આવ્યા ત્યારે ત્યાંથી કોઇ કિમતી વસ્તુ લાવ્યા નહોતા. નાણાંની બચત પણ કરી નહોતી. બધા પૈસા સ્નેહીઓને અગાઉથી આપી દીધા હતા. એમની રસોઇયો ૫૦૦ રૂપિયા બચાવીને લાવ્યો હતો; પરંતુ ઠક્કર સાહેબ તો ખાલી હાથે પાછા આવ્યા હતા.
બાળપણથી જ તેમને દલિતો માટે કૂણી લાગણી હતી. વળી કોઇ પણ રીતે દેશસેવા કરવાની ઝંખના હતી. તેમણે નોકરી છોડી દેવાનો વિચાર કરી વિનયપૂર્વક પોતાના કુટુંબને જાણ કરી દીધી. તેમને મુંબઇમાં મહારાષ્ટ્રની હરિજન સેવા પ્રવૃતિના સ્થાપક વિઠ્ઠલ રામજી શિંદે મળી ગયા. તે તેમના ગુરુ બન્યા. છેવટે ગોખલેજીના હાથે દીક્ષા લઇને તેઓ ૧૯૧૪માં ‘ભારત સેવક સમાજ’માં જોડાઇ ગયા. તેમણે લીધેલી પ્રતિજ્ઞા જાણવા જેવી છે :
‘મારા વિચારોમાં પહેલું સ્થાન મારા દેશનું રહેશે. મારામાં જે ઉત્તમ શકિત હશે તે હું દેશની સેવામાં અર્પણ કરીશ. બધાં જ ભારતવાસીઓને મારાં ભાઇબહેન માનીશ, હું પવિત્ર જીવન ગાળીશ અને ‘ભારત સેવક સમાજનું ધ્યેય હંમેશા ધ્યાનમાં રાખીશ. ’
આમ સેવાનો ભેખ લીધા પછી તેમણે કરેલું પહેલું કામ ગોકુળ-મથુરા તરફ પડેલા દુકાળમાં લોકોને મદદ કરવાનું હતું. પછી ઇ.સ. ૧૯૧૬માં કચ્છમાં દુકાળ પડયો. તેઓ ત્યાં પહોંચી ગયા અને રાહતકાર્યો શરૂ કર્યાં. ૧૯૨૨માં પંચમહાલની ભૂમિ પર દુકાળનો શાપ ઊતર્યો. ત્યાં પણ છૂટાછવાયા છાપરે છાપરે ફર્યા અને કપડાં તેમજ અનાજ વહેંચવા લાગ્યા. તે સમયનો એક પ્રસંગ હ્રદયને સ્પર્શી જાય તેવો છે :
એક ઝૂંપડે જઇને તેમણે સાદ પાડ્યો,
‘અરે ભાઇ, કોઇ છે અંદર ? બહાર આવો’
ન તો કોઇ બોલ્યું ન કોઇ બહાર આવ્યું !
તેમણે ફરીથી કહ્યું, ‘અરે, છે કોઇ અંદર ? બહાર આવો. ’
અંદરથી એક બહેનનો અવાજ આવ્યો.
‘મારાથી બહાર નહીં અવાય, મારસ પાસે પહેરવા કોઇ કપડું નથી ! ’
ઠક્કર સાહેબે તેના માટે બહારથી કપડાં અંદર સરકાવ્યાં ! તે પહેરી થોડી વારે હાડપીંજર જેવી એક બાઇ બહાર આવી.
આ પ્રસંગથી તેમનું હ્રદય દ્રવી ઊઠ્યું. તેમણે પંચમહાલની ભીલ જાતિના ઉદ્ઘાર માટે ‘ભીલ સેવા મંડળ’ સ્થાપ્યું. તે માટે ભગીરથ કાર્ય કર્યું. પછી તો એ કાર્યનો ખૂબ વિસ્તાર થયો અને તેમાંથી રાષ્ટ્રક્ક્ષાએ ‘આદિમ જાતિ સેવા સંઘ’ નામની વિશાળ સંસ્થાની સ્થાપના થઇ. ઠક્કર સાહેબે ઝાલોદમાં ‘શબરી કન્યાશ્રમ’ અને દાહોદ પાસેના મીરાખેડી અને કથલા ગામોમાં ‘ભીલ કુમાર આશ્રમો’ સ્થાપ્યા. વળી, ‘અંત્યજ સેવામંડળ’ દ્વારા તેઓ હરિજનોની સેવા પણ કરતા હતા.
ગાંધીજીએ હરિજન પ્રવૃતિ માટે આખા ભારતમાં પ્રવાસ કર્યો. ઠક્કર સાહેબ પણ તેમની સાથે પડછાયાની જેમ ફર્યા. પછી તેઓ ‘હરિજન સેવક સંઘ’ના મુખ્યમંત્રી બન્યા. જયાં જયાં દુઃખદર્દનો સાદ પડે ત્યાં ત્યાં તેઓ વાત્સલ્યથી છલોછલ હ્રદય લઇને દોડી જતા. આવી પ્રવૃતિઓને લીધે તેમને પંચમહાલમાંથી ‘બાપા’નું બિરુદ મળ્યું. તેઓ ‘ઠક્કરબાપા’ ના નામે આખા ભારતમાં જાણીતા થયા.
તેમની કાર્યનિષ્ઠાનો એક કિસ્સો જાણવા જેવો છે.
એક મધરાતે તેઓ ગાડામાં નીકળ્યા. ગાડું એક ગામડામાં કોઇ શિક્ષકના ઘર આગળ આવીને ઊભું રહ્યું. તેમણે બારણું ખખડાવ્યું.
‘કોણ ? ’ અંદરથી અવાજ આવ્યો.
‘હું અમૃતલાલ ઠક્કર, હું ફરજિયાત કેળવણીને લગતી માહિતી લેવા આવ્યો છું. ’
‘ભલે, લઇ જજો કાલે સવારે’ શિક્ષક અંદરથી બોલ્યા.
‘ના સવારે નહિ, અત્યારે જ. મારે આગળ બીજે ગામ જવું છે. ’
શિક્ષકે ફાનસ સળગાવ્યું. નિશાળ ખોલીને આંકડાકીય માહિતી તેમને આપી, તે લઇને રાતના બે વાગ્યે ઠક્કર સાહેબ ગાડાવાળાને બીજે ગામ હંકારવાનું કહી રવાના થયા. આમ તેઓ આખું ગુજરાત ઘૂમી વળ્યા અને કામ પૂરું કર્યું.
તેમને સિતેર વર્ષ પૂરાં થતાં રૂપિયા એક લાખ સિતેર હજારની થેલી અર્પણ કરવામાં આવી. ઠક્કરબાપાએ બધી જ રકમ દલિતોની સેવામાં ખર્ચવા આપી દીધી ! જયારે તેઓ એંસી વર્ષના થયા ત્યારે આખા ભારતે એમનો જયંતી-ઉત્સવ ઊજવ્યો ! સરદાર વલ્લભભાઇ પટેલના હાથે તેમને અભિનંદનગ્રંથ અને માનપત્ર અર્પણ કરવામાં આવ્યાં.
તેમનું આખું જીવન સેવાયજ્ઞ સમાન હતું. તેમણે છેલ્લા શ્ર્વાસ સુધી એ પ્રવૃતિ ચાલુ રાખી હતી. નિષ્કામ કર્મયોગી સમાન ઠક્કરબાપા ભાવનગરમાં જ અવસાન પામ્યા. દલિતોનો આવો સેવક તો ભાગ્યશાળી દેશને જ સાંપડે.
શ્યામજી કૃષ્ણવર્મા (૧૮૫૭- ૧૯૪૩)
ભારતમાં સ્વતંત્રતા માટે પહેલવહેલું શસ્ત્ર ઉગામવામાં આવ્યું ઇ.સ. ૧૮૫૭માં. બરાબર એ જ વર્ષે માંડવી બંદરની એક શેરીમાં શ્યામજીનો જન્મ ! તેમના પિતાને લોકો ‘ભૂલા ભણસાળી’ ના નામે જાણે; પણ તેમનું નામ હતું કૃષ્ણલાલ ભણસાળી. માતા, શ્યામજીની દસેક વર્ષની ઉંમરે ગુજરી ગયાં. તેમનાં દાદીમાએ તેમને ઉછેર્યા. ભણવામાં ખૂબ જ તેજસ્વી પણ ઘરમાં ગરીબી હોવાથી મુશ્કેલી પડવા લાગી. તેઓ મ્યુનિસિપાલિટીના દીવાને અજવાળે વાંચતા. માંડવી અને ત્યારબાદ ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું. એક વખત માંડવીમાં એક સંન્યાસિની પધાર્યા. તેમનું નામ હરકુંવરબા હતું. શ્યામજી તેમનાં દર્શન કરવા ગયા, ત્યારે તેમની ઉંમર બારતેર વર્ષની. શ્યામજી અને હરકુંવરબાની નજર એક થતાં સાધ્વીને તે કિશોરમાં જુદા જ પ્રકારની તેજસ્વિતા જોવા મળી. નામ વગેરે પૂછીને તેમણે શ્યામજીને સંસ્કૃત ભણાવવાનું શરૂ કર્યું. પછી તો કચ્છની તેમની યાત્રામાં આ કિશોરને તેમણે સાથે રાખ્યો અને છેલ્લે ‘સુબોધ સંસ્કૃત’ ‘વિષ્ણુ સહસ્ત્ર નામાવલિ’ વગેરે પુસ્તકો તેને આપ્યાં.
પછીનાં વરસોમાં તેમને મથુરદાસ લવજી નામના એક શ્રીમંત અને પરોપકારી વેપારીનો ભેટો થઇ ગયો. તેમણે શ્યામજીને મુંબઇ બોલાવીને વિલ્સન હાઇસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. અઢાર વર્ષની ઉંમરે તો શ્યામજી સંસ્કૃતના વિદ્વાન ગણાવા લાગ્યા. તેમના એક મિત્ર અને સહાધ્યાયી હતા રામદાસ. રામદાસના પિતાને શ્યામજીની વિદ્ધતા પારખી લીધી. તેઓ એટલા બધા પ્રભાવિત થયા કે પોતાની દીકરી ભાનુમતીના લગ્ન તેમણે શ્યામજી સાથે કર્યાં.
ઇ.સ. ૧૮૭૪ માં આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ મુંબઇ આવ્યા. શ્યામજી તેમને પરિચયમાં આવતાં તેમની બંડખોર વૃતિને વેગ મળ્યો. દયાનંદે તેમને વિદેશમાં જઇ ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરવાની પ્રેરણા આપી. આથી તેમણે આર્યસમાજના પ્રચાર-પ્રસારનું કામ કરવાના શ્રીગણેશ કર્યાં. સંસ્કૃતના વિદ્ધાન તરીકે તેમની ખ્યાતિ પ્રસરવા લાગી. તેઓ આખા ભારતમાં પ્રવચનો કરવા માટે ફર્યા. તેમને થયું કે જો પૈસા હોય તો વિદેશ જઇને મારા જ્ઞાનનો વ્યાપક ફેલાવો કરું.
મન હોય તો માળવે જવાય, એ કહેવત અનુસાર તેમને ઑકસફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મૉનિયેર વિલિયમ્સ દ્વારા મદદ મળી. આ ઉપરાંત તેમની પત્ની અને મિત્રો તરફથી પણ આર્થિક મદદ મળી. કચ્છ રાજયમાંથી શિષ્યવૃતિ મળી એ પણ તેમનું સદભાગ્ય હતું.
તે ઑમસફર્ડની બેલિયલ કૉલેજમાં તેજસ્વી કારકિર્દી સાથે બી.એ. થયા અને તે જ કૉલેજમાં તેમને અધ્યાપક તરીકે રાખી લીધા ! પછી તો ત્યાંથી જ ‘બૅરિસ્ટર-ઍટ-લૉ’ થયા. ઇ.સ. ૧૮૮૪ માં તેઓ ભારત પાછા આવ્યા અને ફરીથી ગયા ત્યારે પત્ની ભાનુમતીને સાથે લઇ ગયા.
પરંતુ એક જ વર્ષમાં ભારત પાછા આવી ગયા. તેમની ઇચ્છા પોતાના દેશમાં સ્થાયી થવાની હતી. તેમણે પહેલી નોકરી રતલામ સ્ટેટના દીવાન તરીકે કરી. બે-ત્રણ વરસ અજમેર અને મુંબઇમાં વકીલાત કરી. છેલ્લે પાછા જૂનાગઢ રાજયના દીવાન બન્યા. તેઓ ખટપટિયા રાજકારણથી કંટાળીને છેવટે ૧૮૯૭માં ફરીથી લંડન ચાલ્યા ગયા.
હવે તેમની દિશા ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિ તરફની હતી. તેમણે લંડનમાં એક સભાનું આયોજન કરીને ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ની સ્થાપના કરી. તે પહેલાં તેમણે ‘સોસિયોલોજિસ્ટ’ નામના સાપ્તાહિક દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય માટે ઉગ્ર પ્રચાર તો શરૂ કરી જ દીધો હતો. તેમણે લંડનમાં એક મોટું મકાન ખરીદીને તેને ‘ઇન્ડિયા હાઉસ’ નામ આપ્યું. જે વિદ્યાર્થીઓ ભારતની અહીં ભણવા આવતા તેમના માટે તે ખરેખર તો એક હોસ્ટેલ જ હતી. પાછળથી તે ભારતીય ક્રાંતિવીરો માટે કાર્યશાળા બની ગઇ. વિશ્ર્વમાં વસતા બધા ભારતીયોએ અહીંની પ્રવૃતિઓની નોંધ લીધી.
સમય પસાર થતો ગયો અને શ્યામજી વધુ ને વધુ ઉગ્ર રાજકારણી બનતા ગયા. ભારતની સ્વતંત્રતા મેળવવા સશસ્ત્ર ક્રાંતિના તે પ્રખર હિમાયતી થઇ ગયા. પરિણામે તેમને લંડનમાંથી પેરિસ જતા રહેવું પડયું. ત્યાં જઇને પણ તેમણે પોતાની પ્રવૃતિ છોડી નહીં. તે વખતે જે જે દેશમાં સ્વતંત્રતા માટેની ચળવળો ચાલી રહી હતી. તેમાં તેમણે પોતાનો સૂર પૂરાવ્યો. ૧૯૧૪ માં વિશ્ર્વયુદ્ઘ ફાટી નીકળ્યું અને શ્યામજીની પ્રવૃતિઓમાં ઑટ આવી.
માભોમથી વિખૂટા પડીને આખું આયખું રઝળપાટ કરનાર અને ભારતની સ્વતંત્રતા માટે ઝઝુમનાર આ મહાન ક્રાંતિવીર એક સામાન્ય મજૂર પિતાનું સંતાન હતા. એમ કહી શકાય કે કાદવમાંથી કમળનો જન્મ થયો હતો. તેમણે ૧૮૫૭માં આઝાદી માટેના નિષ્ફળ બળવા પછી પહેલીવાર સુયોજિત જૂથ દ્વારા ક્રાંતિની જયોત જલાવી હતી. એ જયોતમાં તેલ પૂરનાર તરીકે તેમણે મદનલાલ ધીંગરા, વીર સાવરકર, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઇજી કામા જેવાં દેશપ્રેમીઓને તૈયાર કર્યાં હતા.
શ્યામજી કૃષ્ણવર્મા તેમની જિંદગીનાં છેલ્લાં વરસોમાં એકલા પડી ગયા હતા. કેટલાક મિત્રોના વિશ્ર્વાસઘાત અને સ્વાર્થને લીધે તેમનું મન ભાંગી પડયું હતું. ૩૧મી માર્ચ ૧૯૪૩ની સંધ્યાએ ભારતમાતાના આ સપૂતે જિનિવાની હૉસ્પીટલમાં છેલ્લો શ્ર્વાસ લીધો. ક્રાંતિના એ ભીષ્મપિતામહને કોટિ કોટિ વંદન.
ભારતમાં સ્વતંત્રતા માટે પહેલવહેલું શસ્ત્ર ઉગામવામાં આવ્યું ઇ.સ. ૧૮૫૭માં. બરાબર એ જ વર્ષે માંડવી બંદરની એક શેરીમાં શ્યામજીનો જન્મ ! તેમના પિતાને લોકો ‘ભૂલા ભણસાળી’ ના નામે જાણે; પણ તેમનું નામ હતું કૃષ્ણલાલ ભણસાળી. માતા, શ્યામજીની દસેક વર્ષની ઉંમરે ગુજરી ગયાં. તેમનાં દાદીમાએ તેમને ઉછેર્યા. ભણવામાં ખૂબ જ તેજસ્વી પણ ઘરમાં ગરીબી હોવાથી મુશ્કેલી પડવા લાગી. તેઓ મ્યુનિસિપાલિટીના દીવાને અજવાળે વાંચતા. માંડવી અને ત્યારબાદ ભૂજમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું. એક વખત માંડવીમાં એક સંન્યાસિની પધાર્યા. તેમનું નામ હરકુંવરબા હતું. શ્યામજી તેમનાં દર્શન કરવા ગયા, ત્યારે તેમની ઉંમર બારતેર વર્ષની. શ્યામજી અને હરકુંવરબાની નજર એક થતાં સાધ્વીને તે કિશોરમાં જુદા જ પ્રકારની તેજસ્વિતા જોવા મળી. નામ વગેરે પૂછીને તેમણે શ્યામજીને સંસ્કૃત ભણાવવાનું શરૂ કર્યું. પછી તો કચ્છની તેમની યાત્રામાં આ કિશોરને તેમણે સાથે રાખ્યો અને છેલ્લે ‘સુબોધ સંસ્કૃત’ ‘વિષ્ણુ સહસ્ત્ર નામાવલિ’ વગેરે પુસ્તકો તેને આપ્યાં.
પછીનાં વરસોમાં તેમને મથુરદાસ લવજી નામના એક શ્રીમંત અને પરોપકારી વેપારીનો ભેટો થઇ ગયો. તેમણે શ્યામજીને મુંબઇ બોલાવીને વિલ્સન હાઇસ્કૂલમાં પ્રવેશ અપાવ્યો. અઢાર વર્ષની ઉંમરે તો શ્યામજી સંસ્કૃતના વિદ્વાન ગણાવા લાગ્યા. તેમના એક મિત્ર અને સહાધ્યાયી હતા રામદાસ. રામદાસના પિતાને શ્યામજીની વિદ્ધતા પારખી લીધી. તેઓ એટલા બધા પ્રભાવિત થયા કે પોતાની દીકરી ભાનુમતીના લગ્ન તેમણે શ્યામજી સાથે કર્યાં.
ઇ.સ. ૧૮૭૪ માં આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ મુંબઇ આવ્યા. શ્યામજી તેમને પરિચયમાં આવતાં તેમની બંડખોર વૃતિને વેગ મળ્યો. દયાનંદે તેમને વિદેશમાં જઇ ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરવાની પ્રેરણા આપી. આથી તેમણે આર્યસમાજના પ્રચાર-પ્રસારનું કામ કરવાના શ્રીગણેશ કર્યાં. સંસ્કૃતના વિદ્ધાન તરીકે તેમની ખ્યાતિ પ્રસરવા લાગી. તેઓ આખા ભારતમાં પ્રવચનો કરવા માટે ફર્યા. તેમને થયું કે જો પૈસા હોય તો વિદેશ જઇને મારા જ્ઞાનનો વ્યાપક ફેલાવો કરું.
મન હોય તો માળવે જવાય, એ કહેવત અનુસાર તેમને ઑકસફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રાધ્યાપક મૉનિયેર વિલિયમ્સ દ્વારા મદદ મળી. આ ઉપરાંત તેમની પત્ની અને મિત્રો તરફથી પણ આર્થિક મદદ મળી. કચ્છ રાજયમાંથી શિષ્યવૃતિ મળી એ પણ તેમનું સદભાગ્ય હતું.
તે ઑમસફર્ડની બેલિયલ કૉલેજમાં તેજસ્વી કારકિર્દી સાથે બી.એ. થયા અને તે જ કૉલેજમાં તેમને અધ્યાપક તરીકે રાખી લીધા ! પછી તો ત્યાંથી જ ‘બૅરિસ્ટર-ઍટ-લૉ’ થયા. ઇ.સ. ૧૮૮૪ માં તેઓ ભારત પાછા આવ્યા અને ફરીથી ગયા ત્યારે પત્ની ભાનુમતીને સાથે લઇ ગયા.
પરંતુ એક જ વર્ષમાં ભારત પાછા આવી ગયા. તેમની ઇચ્છા પોતાના દેશમાં સ્થાયી થવાની હતી. તેમણે પહેલી નોકરી રતલામ સ્ટેટના દીવાન તરીકે કરી. બે-ત્રણ વરસ અજમેર અને મુંબઇમાં વકીલાત કરી. છેલ્લે પાછા જૂનાગઢ રાજયના દીવાન બન્યા. તેઓ ખટપટિયા રાજકારણથી કંટાળીને છેવટે ૧૮૯૭માં ફરીથી લંડન ચાલ્યા ગયા.
હવે તેમની દિશા ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિ તરફની હતી. તેમણે લંડનમાં એક સભાનું આયોજન કરીને ‘ઇન્ડિયન હોમરૂલ સોસાયટી’ની સ્થાપના કરી. તે પહેલાં તેમણે ‘સોસિયોલોજિસ્ટ’ નામના સાપ્તાહિક દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય માટે ઉગ્ર પ્રચાર તો શરૂ કરી જ દીધો હતો. તેમણે લંડનમાં એક મોટું મકાન ખરીદીને તેને ‘ઇન્ડિયા હાઉસ’ નામ આપ્યું. જે વિદ્યાર્થીઓ ભારતની અહીં ભણવા આવતા તેમના માટે તે ખરેખર તો એક હોસ્ટેલ જ હતી. પાછળથી તે ભારતીય ક્રાંતિવીરો માટે કાર્યશાળા બની ગઇ. વિશ્ર્વમાં વસતા બધા ભારતીયોએ અહીંની પ્રવૃતિઓની નોંધ લીધી.
સમય પસાર થતો ગયો અને શ્યામજી વધુ ને વધુ ઉગ્ર રાજકારણી બનતા ગયા. ભારતની સ્વતંત્રતા મેળવવા સશસ્ત્ર ક્રાંતિના તે પ્રખર હિમાયતી થઇ ગયા. પરિણામે તેમને લંડનમાંથી પેરિસ જતા રહેવું પડયું. ત્યાં જઇને પણ તેમણે પોતાની પ્રવૃતિ છોડી નહીં. તે વખતે જે જે દેશમાં સ્વતંત્રતા માટેની ચળવળો ચાલી રહી હતી. તેમાં તેમણે પોતાનો સૂર પૂરાવ્યો. ૧૯૧૪ માં વિશ્ર્વયુદ્ઘ ફાટી નીકળ્યું અને શ્યામજીની પ્રવૃતિઓમાં ઑટ આવી.
માભોમથી વિખૂટા પડીને આખું આયખું રઝળપાટ કરનાર અને ભારતની સ્વતંત્રતા માટે ઝઝુમનાર આ મહાન ક્રાંતિવીર એક સામાન્ય મજૂર પિતાનું સંતાન હતા. એમ કહી શકાય કે કાદવમાંથી કમળનો જન્મ થયો હતો. તેમણે ૧૮૫૭માં આઝાદી માટેના નિષ્ફળ બળવા પછી પહેલીવાર સુયોજિત જૂથ દ્વારા ક્રાંતિની જયોત જલાવી હતી. એ જયોતમાં તેલ પૂરનાર તરીકે તેમણે મદનલાલ ધીંગરા, વીર સાવરકર, સરદારસિંહ રાણા અને માદામ ભીખાઇજી કામા જેવાં દેશપ્રેમીઓને તૈયાર કર્યાં હતા.
શ્યામજી કૃષ્ણવર્મા તેમની જિંદગીનાં છેલ્લાં વરસોમાં એકલા પડી ગયા હતા. કેટલાક મિત્રોના વિશ્ર્વાસઘાત અને સ્વાર્થને લીધે તેમનું મન ભાંગી પડયું હતું. ૩૧મી માર્ચ ૧૯૪૩ની સંધ્યાએ ભારતમાતાના આ સપૂતે જિનિવાની હૉસ્પીટલમાં છેલ્લો શ્ર્વાસ લીધો. ક્રાંતિના એ ભીષ્મપિતામહને કોટિ કોટિ વંદન.