GUJARATI QUESTION ANSWER
1 ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલી ઐતિહાસિક વિશ્વધર્મ પરિષદની સલાહકાર સમિતિમાં કોની નિમણૂક કરવામાં આવી હતી? Ans: મણિલાલ દ્વિવેદી 2 ૧૯૦૭માં બંધાયેલા વાંકાનેરના સુપ્રસિદ્ધ મહેલનું નામ શું છે? Ans: રણજિત વિલાસ પેલેસ 3 ૨૦૦૧ની જનગણના મુજબ ગુજરાતમાં સૌથી વધુ વસ્તીગીચતા કયા જિલ્લામાં જોવા મળી હતી? Ans: સુરત 4 35 એમએમ સિનેમા સ્કોપમાં બનેલી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ ? Ans: દરિયાછોરું 5 ૩૫ કી.મી. પહોળી ઇગ્લીશ ખાડીને ૧૨ કલાકમાં પસાર કરનાર ગુજરાતનો કોણ યુવાન તરવૈયો છે ? Ans: સુફિયાન શેખ 6 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ) 7 Day to Day Gandhi’ નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા? Ans: મહાદેવભાઈ દેસાઈ 8 IIM-A ની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ 9 Plazma રીસર્ચ માટે અમદાવાદમાં કઇ સંસ્થા છે ? Ans: પ્લાઝમા રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ-ગાંધીનગર 10 SAG નું પૂરું નામ શું છે ? Ans: સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાત 11 અખા ઉપરાંત કયા કવિએ ઉત્તમ છપ્પા લખ્યાં છે? Ans: કવિ શામળ 12 અખાનો જન્મ કયાં થયો હતો? Ans: જેતલપુર (અમદાવાદ નજીક) 13 અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ કોનું છે? Ans: નરસિંહ મહેતા 14 અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતો છે? Ans: જ્ઞાનમાર્ગી કાવ્યધારા 15 અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ’ કોનું જીવનચરિત્ર છે? Ans: મહાદેવભાઇ દેસાઇ 16 અટિરા શાના માટે જાણીતું છે ? કયાં આવેલું છે ? Ans: કાપડ સંશોધન-અમદાવાદ 17 અટિરાના પ્રથમ સંચાલક કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઈ 18 અટિરાનું આખું નામ શું છે ? Ans: અમદાવાદ ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ રીસર્ચ એસોસિએશન 19 અડાલજની વાવ કોણે અને કયા વર્ષમાં બનાવી હતી ? Ans: રાણી રૂડાબાઇ - ઇ.સ.૧૪૭૭ 20 અડાલજની વાવની લંબાઇ કેટલી છે ? Ans: ૮૪ મીટર 21 અડાલજનું પ્રાચીન નામ શું છે? Ans: ગઢ પાટણ 22 અણહીલપુર પાટણની સ્થાપના કોણે કરી? Ans: વનરાજ ચાવડા 23 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર 24 અનાથ બાળકોને આશ્રય મળી રહે તે માટેની શુભ શરૂઆત કોણે કરી? Ans: મહીપતરામ રૂપરામ 25 અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન 26 અમદાવાદ - મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ - ૬૪ 27 અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ 28 અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦ 29 અમદાવાદ કેન્દ્રથી વિવિધભારતીનો પ્રારંભ કયારે થયો ? Ans: ઇ.સ. ૧૯૬૫ 30 અમદાવાદ ટેક્ષટાઈલ લેબર એસોશિયેશનની સ્થાપના કોણે કરી હતી ? Ans: મહાત્મા ગાંઘી 31 અમદાવાદ મ્યુનિસિપાલીટીનાં સર્વપ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતાં? Ans: રાવબહાદુર રણછોડલાલ છોટાલાલ 32 અમદાવાદ રાઈફલ એસોસિએશનના સ્થાપક કોણ હતાં? Ans: ઉદયન ચીનુભાઈ બેરોનેટ 33 અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી 34 અમદાવાદ શહેરનો ભદ્રનો કિલ્લો કયારે બંધાયો ? Ans: ઇ.સ.૧૪૧૧ 35 અમદાવાદ શહેરનો સૌથી પ્રથમ પાકો રસ્તો કયારે થયો હતો અને તે રસ્તાનું નામ શું પાડ્યુ હતું? Ans: ૧૮૭૨માં રીચી રોડ - ગાંધી રોડ 36 અમદાવાદના કયા જજે સૌપ્રથમવાર વિદેશી વસ્તુઓને સ્થાને સ્વદેશી ચીજો અપનાવવા લોકોને અપીલ કરી હતી? Ans: ગોપાલ હરી દેશમુખ 37 અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા ? Ans: ચિનુભાઇ ચિમનભાઇ બેરોનેટ 38 અમદાવાદના પ્રસિદ્ધ ગીતામંદિરની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી વિદ્યાનંદજી 39 અમદાવાદની કઈ મસ્જિદમાં સ્ત્રીઓને નમાજ પઢવાની અલાયદી વ્યવસ્થા છે? Ans: જુમા મસ્જિદ 40 અમદાવાદનો આશ્રમરોડ કયા બે આશ્રમોને જોડે છે? Ans: સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ 41 અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો ? Ans: ઇ.સ. ૧૪૧૧ 42 અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ શું છે ? Ans: મોટેરા સ્ટેડિયમ 43 અમદાવાદમાં આવેલી ‘AGETA’ કલબનું પૂરૂં નામ શું છે ? Ans: અમદાવાદ ગવર્નમેન્ટ એમ્પ્લોયડ ટેનિસ એસોસિએશન 44 અમદાવાદમાં આવેલી જામા મસ્જિદ કોણે બંધાવી હતી ? Ans: બાદશાહ અહમદશાહ 45 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર 46 અમદાવાદમાં પતંગ મ્યુઝીયમ કયાં આવેલું છે? Ans: ટાગોર હોલ, પાલડી 47 અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ 48 અમદાવાદમાં મંદબુદ્ધિના બાળકોને તાલીમ આપતી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા કઇ છે? Ans: બી.એમ.ઈન્સ્ટીટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ 49 અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો 50 અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે? Ans: ૧૨.૫ કિ.મી. 51 અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? Ans: ભિક્ષુ અખંડાનંદ 52 અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી? Ans: હરકુંવર શેઠાણી (૧૮૫૦) 53 અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ 54 અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? Ans: વર્ષ ૨૦૦૩ 55 અમૂલ ડેરીની શરૂઆત કયા વર્ષમાં થઇ હતી? Ans: ઇ.સ. ૧૯૪૬ 56 અમે બધા’ હાસ્યકથા કયા બે લેખકોએ સાથે મળીને લખેલી છે? Ans: જયોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા 57 અર્જુન એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુજરાતી મહિલા બેડમિન્ટન ખેલાડી કોણ છે? Ans: અપર્ણા પોપટ 58 અર્વાચીન ગુજરાતી કવિતામાં અંગ્રેજી શૈલીના પ્રથમ આત્મલક્ષી ઉર્મિકાવ્યો કોણે રચ્યાં છે? કાવ્યસંગ્રહનું નામ જણાવો. Ans: કવિ નરસિંહરાવ દિવેટિયા - કુસુમમાળા 59 અર્વાચીન ગુજરાતી કાવ્યપ્રવાહમાં ‘PARODY’ પ્રતિકાવ્યનો પ્રયોગ કોણે કર્યો છે? Ans: કવિ અરદેશર ફરામજી ખબરદાર 60 અર્વાચીન ગુજરાતી મહાનવલકથા કઇ છે? તેના સર્જક કોણ છે? Ans: સરસ્વતીચન્દ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી 61 અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે 62 અલ્લાહબંધની રચના કયારે થઈ ? Ans: ૧૮૧૯ના ભૂકંપ પછી 63 અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર(SAC) ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? Ans: અમદાવાદ 64 અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે ? Ans: ગિરનાર 65 અસાઈતના વંશજો વર્તમાનમાં કયા નામે ઓળખાય છે ? Ans: તરગાળા 66 અહમદશાહે ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું અમદાવાદ) 67 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો 68 અહિં આપેલી હિંદી કાવ્યરચનામાંથી કઇ કૃતિ અખાની નથી? Ans: નરસિંહ માહ્યરો 69 અંગ્રેજ સમયમાં સરકારી કેળવણીનો બહિષ્કાર કરવા માટે કઇ સંસ્થા સ્થાપવામાં આવી? Ans: ગૂજરાત વિદ્યાપીઠ 70 અંબાજી તીર્થ કઇ પર્વતમાળામાં આવેલું છે ? Ans: અરવલ્લી 71 આ નભ ઝુકયું તે કાનજી...’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર 72 આ મનપાંચમના મેળામાં...’ ગીતના કવિ કોણ છે? Ans: રમેશ પારેખ 73 આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ 74 આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણે કઈ ભાષાનો ઊંડો અભ્યાસ કર્યો હતો ? Ans: સંસ્કૃત 75 આચાર્ય આનંદશંકર ધ્રુવ કયું સામયિક ચલાવતા ? Ans: વસંત 76 આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ કયાં થયો હતો ? Ans: અમદાવાદ 77 આજનું કાંકરિયા પહેલાં કયાં નામે ઓળખાતું હતું? Ans: હૌજે કુતુબ 78 આઝાદ હિંદ ફોજના બચાવપક્ષે ધારદાર દલીલો કરી તેમને કેસ જીતાડનાર ગુજરાતી એડવોકેટ કોણ હતા? Ans: સર ભુલાભાઇ દેસાઇ 79 આઝાદી પછી સૌરાષ્ટ્રના લોકશાહી રાજયના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા? Ans: ઉચ્છંગરાય ઢેબર 80 આઝાદીની ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો પ્રથમ સત્યાગ્રહ કયો? Ans: ખેડા સત્યાગ્રહ 81 આઝાદીની લડાઇમાં અમદાવાદના વસંત સાથે કોણ શહીદ થયા હતા? Ans: રજબ અલી 82 આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો. - કયા કવિની અનુભૂતિ છે? Ans: કવિ હસમુખ પાઠક 83 આત્મ ઓઢે અને અગન પછેડીના દિગ્દર્શક કોણ હતા ? Ans: કાંતિ મડીયા 84 આદિ શંકરાચાર્યએ ભારતમાં પશ્ચિમ દિશામાં કયાં મઠ સ્થાપ્યો હતો? Ans: દ્વારકા 85 આદિ શંકરાચાર્યના કયા શિષ્યએ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી? Ans: હસ્તમલકાચાર્ય 86 આદિવાસીઓના ઉત્થાન માટે દક્ષિણ ગુજરાતમાં વેડછી ખાતે આશ્રમશાળા કોણે સ્થાપી હતી? Ans: જુગતરામ દવે 87 આદિવાસીઓની સૌથી વધુ વસ્તી ગુજરાતના કયા જિલ્લામાં છે ? Ans: ડાંગ 88 આદિવાસીઓનો ત્રિનેત્રેશ્વર મેળો શાના માટે પ્રખ્યાત છે? Ans: સ્વયંવર 89 આબુમાં આદિનાથનું આરસમંદિર કોણે બંધાવ્યુ હતું? Ans: વિમલ મંત્રી 90 આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે? Ans: સાપુતારા 91 આર્ય સમાજની સ્થાપના કોણે કરી? Ans: દયાનંદ સરસ્વતી 92 આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી 93 આશાપુરા માતાનો મઢ કયાં આવેલો છે? Ans: કચ્છ 94 આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? Ans: કર્ણદેવ સોલંકી 95 આશાવલના આશા ભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોણે કરી? Ans: કર્ણદેવ 96 આસ્ટોડિયા નામ કયા ભીલ રાજાની યાદ અપાવે છે? Ans: આશા ભીલ 97 આહવા કયા જિલ્લાનું મુખ્ય મથક છે ? Ans: ડાંગ 98 આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા? Ans: ઈન્દુલાલ ગાંધી 99 ઇ.સ. ૧૮૪૪માં બ્રિટીશ ન્યાયતંત્રમાં જોડાનારા સૌપ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: ભોળાનાથ સારાભાઇ 100 ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? Ans: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ |
101
ઇ.સ. ૧૯૧૯માં કયા એકટ વિરુદ્ધ ગુજરાતમાં હડતાળ પડી? Ans: રોલેટ એકટ 102 ઇ.સ. ૧૯૩૦માં અમદાવાદથી કેટલા કિ.મી. ચાલીને દાંડીકૂચ કરવામાં આવી હતી? Ans: ૩૮૫ કિ.મી. 103 ઇ.સ. ૧૯૬૫ ના પાકિસ્તાન યુદ્ધમાં ગુજરાતના કયા મુખ્યમંત્રી વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા? Ans: બળવંતરાય મહેતા 104 ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર 105 ઇરાનથી આવીને પારસીઓએ ગુજરાતના કયા શહેરમાં વસવાટ કર્યો? Ans: વલસાડ 106 ઇંગ્લૅન્ડની આમસભામાં ચૂંટાઇ આવનાર સૌપ્રથમ હિંદી કોણ હતા? Ans: દાદાભાઇ નવરોજી 107 ઈ.સ. ૬૪૦માં ગુજરાતનાં પ્રવાસે કયો ચીની પ્રવાસી આવ્યો હતો? Ans: હ્યુ-એન-ત્સંગ 108 ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે? Ans: બેકાર 109 ઈસ્ટ ઈન્ડિયા કંપની પ્રથમ વખત સુરતમાં આવી ત્યારે ગુજરાત પર કોનું રાજ હતું? Ans: જહાંગીર 110 ઉકાઇ બંધ કયાં આવેલો છે ? Ans: સુરત 111 ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ? Ans: દાહોદ 112 ઉત્તર ગુજરાતના કોળીઓમાં જાણીતું નૃત્ય છે ? Ans: અશ્વ નૃત્ય 113 ઉત્તર ગુજરાતમાં કઈ પૂનમના દિવસે ગામના જુવાન હાથમાં તલવાર લઈને નૃત્ય કરે છે ? Ans: કારતકી 114 ઉત્તર ગુજરાતમાં જોવા મળતું પલાશનું વૃક્ષ લોક બોલીમાં કયા નામે પ્રચલિત છે ? Ans: કેસુડો 115 ઉદવાડામાં આવેલી કઇ અગિયારી જોવાલાયક છે ? Ans: પવિત્ર ઈરાનશો ફાયર ટેમ્પલ 116 ઉદ્ધવગીતા’ અને ‘સતીગીતા’ કૃતિઓ કોની છે ? Ans: મુકતાનંદ સ્વામી 117 ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ? Ans: હસતો ફિલસૂફ 118 ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ? Ans: શહીદનું સ્વપ્ન 119 ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો. Ans: સાપના ભારા અને હવેલી 120 ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ? Ans: નટવરલાલ પંડયા 121 ઊંઝા નજીક આવેલાં એવા સ્થળનું નામ આપો જયાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના દર્શનાર્થીઓ આવે છે ? Ans: મીરાદાતાર 122 એ.એમ.સી. (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની સ્થાપના કયારે થઇ હતી? Ans: જુલાઇ, ૧૯૫૦ 123 એએમએ, આઇઆઇએમ અને પીઆરએલ કયા મહાનુભાવની દીર્ઘ દૃષ્ટિનું પરિણામ છે? Ans: ડૉ. વિક્રમભાઈ સારાભાઈ 124 એક માન્યતા પ્રમાણે તાપી નદી કયા દેવતાની પુત્રી કહેવાય છે? Ans: સૂર્ય 125 પ્રાચીન સમયમાં ગુજરાતની કઇ નદીનું નામ તેની આસપાસ મુકતપણે વિચરતા સાબર કે સાંભરના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે? Ans: સાબરમતી 126 એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ? Ans: શૂન્ય 127 એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે કરી હતી? Ans: દિનેશ ભીલ 128 એટોમિક શિક્ષણ માટે ગુજરાતમાં કઇ સંસ્થા કાર્યરત છે ? Ans: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર 129 એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે? Ans: લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ 130 એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર 131 એશિયાખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? Ans: આણંદ 132 એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે? Ans: ૩૦ કિલો 133 ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ? Ans: કવિ દલપતરામ 134 ઐતિહાસીક અને સ્થાપત્યના બેનમૂન નમૂનારૂપ ‘પ્રાગમહેલ’ અને ‘આયના મહેલ’ કચ્છના કયા શહેરમાં આવેલા છે? Ans: ભૂજ 135 ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયા સ્થળે થયો હતો? Ans: દાહોદ 136 કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા? Ans: કુમુદબેન જોષી 137 કઇ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? Ans: મણીબહેન પટેલ 138 કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ? Ans: ગોકુલગ્રામ યોજના 139 કઇ વિદેશી પ્રજાએ દિવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બંદરનું નિર્માણ કરાવ્યું હતું? Ans: પોર્ટુગિઝ 140 કઇ સદીમાં ઉત્તર આફ્રિકાના સાહસિક મુસાફર ઇબ્ન બતૂતાએ ગુજરાતની મુલાકાત લીધી હતી? Ans: ૧૪મી સદી 141 કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: ઇ.સ. ૧૮૨૬ 142 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ. પૂર્વે ૧૯૦૦ આસપાસ 143 કઈ ખનીજના ઉત્પાદનમાં ગુજરાત એશિયાભરમાં પ્રથમ સ્થાન ધરાવે છે ? Ans: ફલોરસ્પાર 144 કચ્છ જિલ્લાનાં કયા શહેરમાં ‘ખારેક સંશોધન કેન્દ્ર’ આવેલું છે ? Ans: મુંદ્રા 145 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ 146 કચ્છના અખાતનો કયો ટાપુ પરવાળાનો બનેલો છે ? Ans: પીરોટન 147 કચ્છના રણ વિસ્તારો કઇ ભૌગોલિક પ્રક્રિયાથી બન્યાં છે? Ans: ખંડીય છાજલી ઊંચકાવાથી 148 કચ્છના રણપ્રદેશનો પરિવેશ કોની વાર્તાઓમાં વિશેષ જોવા મળે છે? Ans: જયંત ખત્રી 149 કચ્છના રણમાં કયા માંસભક્ષી વન્ય પ્રાણીઓ જોવા મળે છે? Ans: ગશ (હેણોતરો) અને રણનું શિયાળ 150 કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? Ans: કચ્છના રણમાં 151 કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં જ સમાઈ જાય છે ? Ans: મચ્છુ 152 કચ્છનું કયું સ્થળ બ્લોક પ્રિન્ટિગ માટે જાણીતું છે? Ans: ધામણકા 153 કચ્છનું નાનું રણ અને ખંભાતનો અખાત કયા સરોવરથી જોડાયેલા છે ? Ans: નળ સરોવર 154 કચ્છનું નાનું રણ આગળ વધતું અટકે તે માટે કયા બંધની રચના કરવામાં આવી છે ? Ans: સુરજબારી 155 કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? Ans: મુંદ્રા 156 કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ? Ans: હાજીપીરનો મેળો 157 કચ્છ-ભદ્રેશ્વરના કયા જાણીતા વેપારીએ દુષ્કાળ દરમિયાન અનાજ-પૈસા અઢળક મદદ કરીને દાનવીરનું બિરુદ મેળવ્યું હતું? Ans: શેઠ જગડૂશા 158 કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ? Ans: નારાયણ સરોવર 159 કચ્છમાં ગુજરાતનું કયું ખાનગી આધુનિક બંદર આવેલું છે ? Ans: મુન્દ્રા 160 કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે? Ans: ભૂંગા 161 કચ્છમાંથી મળી આવેલા કરોડો વર્ષ જૂના અશ્મીઓને સાચવતું વિઠોર ફોસીલ પાર્ક કયાં આવેલું છે? Ans: માંડવી 162 કચ્છી ભાષા એ કઇ ભાષાની ઉપભાષા છે? Ans: સિંધી 163 કચ્છી મેવા તરીકે જાણીતું ફળ કયુ છે ? Ans: ખારેક 164 કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક 165 કડાણા બંધ કઇ નદી પર છે ? Ans: મહી 166 કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે? Ans: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ 167 કનૈયાલાલ મુનશી રચિત કાક અને મંજરી પાત્રો કઇ કૃતિમાં આવે છે? Ans: ગુજરાતનો નાથ 168 કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા? Ans: ૧૬મા સૈકા 169 કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે? Ans: આઠ 170 કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 171 કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે? Ans: મહર્ષિ ભૃગુ 172 કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ? Ans: કવિ દયારામ 173 કયા ક્રાંતિકારી દેશભકત ઓકસફર્ડમાં સંસ્કૃતનાં અધ્યાપક હતાં? Ans: શ્યામજીકૃષ્ણ વર્મા 174 કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે? Ans: જય જય ગરવી ગુજરાત 175 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા 176 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે? Ans: ડૉ. હંસાબેન મહેતા 177 કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ 178 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા 179 કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી? Ans: રવિશંકર રાવળ 180 કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી 181 કયા જિલ્લાઓ મહી નદી પરના બંધના કારણે લાભાર્થી બન્યા છે ? Ans: પંચમહાલ, ખેડા, આણંદ 182 કયા જિલ્લામાં જેસોર રીંછનું અભયારણ્ય આવેલું છે ? Ans: બનાસકાંઠા 183 કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે? Ans: બપૈયા અથવા પપીહા 184 કયા પક્ષીઓ સૌથી વધુ ઝડપથી ઉડી શકે છે? Ans: કાનકડિયા 185 કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર 186 કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે? Ans: રવિશંકર રાવળ 187 કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ? Ans: બાપુસાહેબ ગાયકવાડ 188 કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી? Ans: માધવસિંહ સોલંકી 189 કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે? Ans: સિદ્ધરાજ જયસિંહ 190 કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ? Ans: પાલનપુર 191 કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ) 192 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની? Ans: સંતશ્રી આપા ગીગા બાપુ 193 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી? Ans: મેકલેન્ડ 194 કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ? Ans: કોપાલીની ખાડી 195 કયું જાણીતું તીર્થસ્થળ અગાઉ ધનકપુરી તરીકે ઓળખાતું હતું? Ans: ડાકોર 196 કયું દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? Ans: જામનગર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન 197 કયું સ્થાપત્ય ‘અમદાવાદનું રત્ન’ તરીકે ઓળખાય છે? Ans: રાણી સિપ્રીની મસ્જિદ 198 કયો ભૂસ્તરીય સમય આર્કિયન યુગનો એક ભાગ છે ? Ans: ધારવાડ 199 કયો મોગલ રાજા ગુજરાતને હિંદનું આભૂષણ માનતો હતો? Ans: ઔરંગઝેબ 200 કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે? Ans: સરખેજનો રોજો |
201
કયો હિંદુ તહેવાર અંગ્રેજી તારીખ મુજબ ઉજવાય છે? Ans: ઉત્તરાયણ 202 કર્કવૃત્ત ગુજરાતના કયા બે સ્થળ પરથી પસાર થાય છે ? Ans: પ્રાંતિજ અને હિંમતનગર 203 કર્કવૃત્ત ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય છે ? Ans: ચાર 204 કર્કવૃત્ત ગુજરાતમાં કયાંથી પસાર થાય છે? Ans: ઉત્તર ભાગમાંથી 205 કર્કવૃત્તની સૌથી નજીકનું બંદર કયું છે ? Ans: કંડલા 206 કલાપી કયા રાજયના રાજવી હતા? Ans: લાઠી 207 કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું? Ans: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ 208 કલ્પસૂત્ર’નું સંપાદન કોણે કર્યું? Ans: ધનેશ્વરસૂરિ 209 કવાંટ મેળો કયાં ભરાય છે ? Ans: છોટા ઉદેપુર 210 કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે? Ans: મણિશંકર રત્નજી ભટ્ટ 211 કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ? Ans: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર 212 કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? Ans: નિશીથ 213 કવિ ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અજોડ કહેવાય છે? Ans: સંસ્કૃતિ 214 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ 215 કવિ કાન્તે અમેરિકાના કયા પ્રમુખનું જીવનચરિત્ર રચ્યું છે? Ans: અબ્રાહમ લિંકન 216 કવિ દયારામના જન્મસ્થળ ચાંણોદનું મૂળનામ શું હતું ? Ans: ચંડીપુર 217 કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે? Ans: ગરબી 218 કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે? Ans: ગરબી કાવ્ય 219 કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ? Ans: દયાશંકર 220 કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? Ans: શ્રી કૃષ્ણઃ શરણં મમ 221 કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી? Ans: ભૂમાનંદ સ્વામી 222 કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે? Ans: કનૈયાલાલ મુનશી 223 કવિ નર્મદને ‘આજીવન યોદ્ધો’ કહેનાર કોણ છે? Ans: વિશ્વનાથ ભટ્ટ 224 કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: સુરત-૧૮૩૩ 225 કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી? Ans: ડાંડિયો 226 કવિ નર્મદે કોનું પદ વાંચીને કાવ્ય લખવાની પ્રેરણા મેળવેલી ? Ans: કવિ ધીરો 227 કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ? Ans: રાજયરંગ 228 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ - મુંબઇ 229 કવિ નર્મદે સમાજસુધારણા માટે કયું અખબાર પ્રકાશિત કર્યું હતું ? Ans: દાંડિયો 230 કવિ નાકરનું વતન કયું હતું? Ans: વડોદરા 231 કવિ ન્હાનાલાલનું તખલ્લુસ શું છે? Ans: પ્રેમભકિત 232 કવિ પદ્મનાભ કયા રાજદરબારમાં રાજકવિ હતા? Ans: ઝાલોરનો રાજદરબાર 233 કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ? Ans: કાન્હડદે પ્રબંધ 234 કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો. Ans: ભણકારા 235 કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર 236 કવિ ભાલણનું મૂળ નામ શું હતું? Ans: પુરષોત્તમ ત્રિવેદી 237 કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા? Ans: બાણભટ્ટ 238 કવિ ભીમ કોના શિષ્ય હતા ? Ans: કવિ ભાલણ 239 કવિ ભોજા ભગતની પદરચના કયા નામે ઓળખાય છે? Ans: ચાબખા 240 કવિ રાજે મુસ્લિમ હોવા છતાં કોનો અનન્ય ભકત હતો ? Ans: શ્રીકૃષ્ણ 241 કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય કક્ષાએ કયો પુરસ્કાર મળ્યો છે? Ans: જ્ઞાનપીઠ એવોર્ડ 242 કવિ વીરસિંહ રચિત એકમાત્ર કૃતિનું નામ જણાવો. Ans: ઉષાહરણ 243 કવિ સુન્દરમ્ ના પ્રથમ કાવ્ય સંગ્રહનું નામ જણાવો. Ans: કોયા ભગતની કડવી વાણી 244 કવિ સુંદરમને કયા પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા? Ans: પદ્મભૂષણ 245 કવિઓ દ્વારા ખૂબ પ્રશંસા પામેલા પક્ષી ચાતકને સૌરાષ્ટ્રમાં કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: મોતીડો 246 કવિતા આત્માની અ-મૃત કલા છે’ - તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ 247 કવિશ્વર દલપતરામે સૌપ્રથમ કયો નિબંધ લખ્યો હતો ? Ans: ભૂતનિબંધ 248 કંઈક લાખો નિરાશામાં, અમર આશા છુપાઇ છે’ ના કવિ કોણ છે? Ans: મણિલાલ ન. દ્વિવેદી 249 કંઠીનું મેદાન કયાં આવેલું છે ? Ans: કચ્છ 250 કંડલા બંદર કયાં આવેલું છે ? Ans: કચ્છ 251 કંડલાથી પઠાણકોટ જતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે ? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૧૫ 252 કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ 253 કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ 254 કાચબા - કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત 255 કાનકડિયા પક્ષી એક કલાકમાં કેટલા માઇલનું અંતર કાપી શકવાની ક્ષમતા ધરાવે છે? Ans: ૧૦૦ માઈલ 256 કાનમનો પ્રદેશ કયા પાક માટે જાણીતો છે? Ans: કપાસ 257 કાન્હડદે પ્રબંધ’નો મુખ્ય રસ કયો છે? Ans: વીર રસ 258 કાલિદાસના ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’ના ગુજરાતી અનુવાદક કોણ છે? Ans: ઉમાશંકર જોશી 259 કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે? Ans: કચ્છ 260 કાંકરાપાર બંધ કઇ નદી પર આવેલો છે ? Ans: તાપી 261 કાંકરિયા તળાવ કઇ સાલમાં અસ્તિત્વમાં આવ્યું ? Ans: ઈ.સ. ૧૪૫૧ 262 કાંકરિયા તળાવ કોણે બંધાવેલું? Ans: સુલતાન કુત્બુદીન 263 કાંકરિયા તળાવના મધ્યે આવેલી નગીનાવાડી બનાવવાનું પ્રયોજન શું હતું? Ans: સુલતાનોનું ગ્રીષ્મકાલિન નિવાસસ્થાન 264 કાંતિ મડિયાની નાટ્ય સંસ્થાનું નામ શું છે ? Ans: નાટ્યસંપદા 265 કુદરતી રંગો દ્વારા તૈયાર થતા અને દુર્લભ કલાત્મકતા ધરાવતા પટોળા ગુજરાતના કયા શહેરમાં બને છે? Ans: પાટણ 266 કુમાર ગાંધર્વ એવૉર્ડ કયા રાજયની સરકાર આપે છે? Ans: ગુજરાત 267 કુમારપાળે કોની પ્રેરણાથી જૈનધર્મ સ્વીકાર્યો હતો? Ans: હેમચંદ્રાચાર્ય 268 કેન્દ્રીય ધારાસભાનાં પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: વિઠ્ઠલભાઇ પટેલ 269 કેળની એક ખાસ જાત એવી ઇલાયચી કેળનું વાવેતર ગુજરાતમાં કયાં થાય છે ? Ans: ચોરવાડ 270 કેળવણીકાર નાનાભાઇ ભટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? Ans: ભાવનગર 271 કોના નામે હૈદ્રાબાદમાં નેશનલ પોલિસ એકેડમી છે? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ 272 કોના શાસનકાળ દરમ્યાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું? Ans: મહંમદ બેગડો 273 કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર 274 કોયલકુળના પક્ષી બપૈયાને સૌરાષ્ટ્રમાં કયા નામે ઓળખવામાં આવે છે? Ans: ખરાડિયો 275 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં 276 ખનીજતેલના શુદ્ધિકરણની રીફાઇનરી કયાં આવેલી છે ? Ans: મામલગાર કોયલી 277 ખરાદીકામના ઉદ્યોગ માટે ગુજરાતનું કયું નગર સુવિખ્યાત છે ? Ans: સંખેડા 278 ખંડકાવ્યનું સર્જન સૌપ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે? Ans: કવિ કાન્ત 279 ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? Ans: રાજપીપળાના ડુંગરોની 280 ખારાઘોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે ? Ans: મીઠા 281 ખીજડીયાનુ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જામનગર 282 ખેડબ્રહ્મા નજીક કયા ગામમાં ચિત્ર-વિચિત્ર મેળો ભરાય છે? Ans: ગુણભાખરી 283 ખેડબ્રહ્મા, ઈડર અને શામળાજી નજીકની ટેકરીઓ કયા નામથી ઓળખાય છે? Ans: આરાસુરની ટેકરીઓ 284 ખેતીવાડીનાં ઓજારો માટે ગુજરાતનું સૌથી જાણીતું સ્થળ કયું છે? Ans: રાજકોટ 285 ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ 286 ખોબો ભરીને અમે એટલું હસ્ચા કે કૂવો ભરીને અમે રોઇ પડ્યા’ ગીતના લેખક કોણ છે? Ans: જગદીશ જોશી 287 ગરીબી દૂર કરવા માટે ‘અંત્યોદય યોજના’ દાખલ કરનાર કયા ગુજરાતી હતા? Ans: બાબુભાઇ જશભાઇ પટેલ 288 ગંગાસતીની પુત્રવધૂનું નામ શું હતું ? Ans: પાનબાઈ 289 ગાંધી જયંતી (૨ ઓકટોબર) દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન 290 ગાંધી વિચારધારા મુજબ કાર્યરત વિશ્વવિદ્યાલયનું નામ આપો. Ans: ગૂજરાત વિદ્યાપીઠ+B1631 291 ગાંધીજી કયા રાજયના રાજવીની સરમુખત્યારશાહી વિરુદ્ધ સત્યાગ્રહ પર ઉતર્યા હતા? Ans: રાજકોટ 292 ગાંધીજી કોને પોતાનો પાંચમો પુત્ર ગણતા? Ans: જમનાલાલ બજાજ 293 ગાંધીજીએ ‘સર્વોદય’ પુસ્તક જૉન રસ્કિનના કયા પુસ્તકથી પ્રભાવિત થઇને લખ્યું હતું? Ans: અન ટુ ધી લાસ્ટ 294 ગાંધીજીએ આનંદશંકર ધ્રુવની કઈ કૃતિને ‘વૃદ્ધપોથી’ કહી છે? Ans: હિન્દુ ધર્મની બાળપોથી 295 ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી ? Ans: પૂર્ણિમાબહેન પકવાસા 296 ગાંધીજીએ ગુજરાતની કઇ લડતને ‘ધર્મયુદ્ધ’ નામ આપ્યું? Ans: અમદાવાદ મિલ સત્યાગ્રહ 297 ગાંધીજીએ દાંડીકૂચ કયા અન્યાયી કાયદાના ભંગ કરવાના આશયથી કરી હતી? Ans: મીઠા 298 ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ 299 ગાંધીજીએ રાજકોટની કઇ શાળામાં અભ્યાસ કર્યો હતો? Ans: સર આલ્ફ્રેડ હાઈસ્કૂલ 300 ગાંધીજીના જન્મદિવસને કયા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઊજવવામાં આવે છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ |
301
ગાંધીજીના સમાધિ સ્મારકને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: રાજઘાટ 302 ગાંધીજીના સ્વપ્નનું ભારત તેમના કયા પુસ્તકમાં જોવા મળે છે? Ans: હિંદ સ્વરાજ 303 ગાંધીજીનાં માતા પિતાના નામ જણાવો. Ans: માતા પૂતળીબાઈ અને પિતા કરમચંદ ગાંધી 304 ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર બીજા કયા નામે ઓળખાય છે? Ans: સુદામાપુરી 305 ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન કયા પુસ્તકમાં આલેખાયેલું છે? Ans: હિંદ સ્વરાજ 306 ગાંધીજીને ‘બાપુ’નું બિરૂદ કયા સત્યાગ્રહમાં મળ્યું? Ans: ચંપારણ સત્યાગ્રહ 307 ગાંધીજીને સાઉથ આફ્રિકામાં રેલ્વેની ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં બિન ગોરા હોવાને નાતે ચાલુ મુસાફરીએ સામાન સાથે ટ્રેનમાંથી ધક્કો મારીને ઉતારી દેવામાં આવ્યા. એ રેલ્વે સ્ટેશન કયું હતું ? Ans: પીટર મારિત્ઝબર્ગ 308 ગાંધીજીનો જન્મ કયાં અને કયારે થયો હતો? Ans: ૨ ઓકટોબર ૧૮૬૯, પોરબંદર 309 ગિર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ? Ans: જૂનાગઢ 310 ગિરનારનો શિલાલેખ કઇ લિપિમાં કોતરાયેલો છે ? Ans: બ્રાહ્મી 311 ગીર અભ્યારણમાં જો સિંહ ન હોત તો પણ તે વનવિસ્તાર અન્ય કઇ વન્યસૃષ્ટિની વૈવિધ્યતા માટે પ્રખ્યાત હોત? Ans: પક્ષીસૃષ્ટિ 312 ગીરના માલધારીઓનું પરંપરાગત રહેણાંક કયા નામે ઓળખાય છે? Ans: ઝોંક 313 ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: ડાંગ 314 ગુજરાત ઈકોલોજી કમિશન’ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા 315 ગુજરાત ઉર્જા વિકાસ નિગમ’ કયા શહેરમાં આવેલું છે? Ans: વડોદરા 316 ગુજરાત કલાસંઘના સ્થાપક કોણ હતાં ? Ans: રવિશંકર રાવળ 317 ગુજરાત ક્રિકેટ એસોસિએશન(જીસીએ)નું મુખ્ય મથક કયાં આવેલું છે? Ans: અમદાવાદ 318 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દર વર્ષે ‘સમર ફેસ્ટીવલ’ કયાં યોજે છે ? Ans: સાપુતારા 319 ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના કયારે થઇ હતી ? Ans: ઇ.સ. ૧૯૭૩ 320 ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર 321 ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં જાણીતું કયુ પક્ષી પ્રજનનકાળ દરમિયાન પોતાના માળાની હેરતભરી રચનાને આધારે માદાને આકર્ષે છે? Ans: સુગરી 322 ગુજરાત નજીક કયો સમુદ્ર છે ? Ans: અરબી સમુદ્ર 323 ગુજરાત પ્રવાસન નિગમની સ્થાપના કયારે થઇ ? Ans: ઇ.સ. ૧૯૭૫ 324 ગુજરાત બહાર પૂજયશ્રી મોટાએ કયાં આશ્રમ સ્થાપ્યો હતો? Ans: કાવેરીને કાંઠે કુંભકોણમ્માં 325 ગુજરાત ભારતમાં કઇ દિશાએ આવેલું છે? Ans: પશ્ચિમ 326 ગુજરાત ભૂમિમાર્ગથી અન્ય કેટલાં રાજયો સાથે જોડાયેલું છે ? Ans: ત્રણ 327 ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા 328 ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના કયારે થઇ? Ans: ઇ.સ. ૧૯૪૯ 329 ગુજરાત રાજકિય પરિષદના સૌપ્રથમ પ્રમુખ કોણ હતા? Ans: મોહનદાસ કરમચંદ ગાંધી 330 ગુજરાત રાજય દ્વારા એનાયત કરવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? Ans: ગુજરાત ગૌરવ પુરસ્કાર 331 ગુજરાત રાજયના ઉદઘાટક કોણ હતા? Ans: રવિશંકર મહારાજ 332 ગુજરાત રાજયના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? Ans: અમરસિંહ ચૌધરી 333 ગુજરાત રાજયના રચનાકાળે જાણીતા કવિ સુંદરમે્ રચેલી કવિતાનું નામ જણાવો. Ans: ગૂર્જરી ભૂ 334 ગુજરાત રાજયના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા કોણ હતા? Ans: નગીનદાસ ગાંધી 335 ગુજરાત રાજયના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? Ans: ડૉ. જીવરાજ મહેતા 336 ગુજરાત રાજયનાં પ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? Ans: ઈન્દુમતીબહેન શેઠ 337 ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે? Ans: ગુજરાતી 338 ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી 339 ગુજરાત રાજયની સ્થાપના થયા પછી કઇ પાર્ટીએ સરકાર બનાવી? Ans: કોંગ્રેસ 340 ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી. 341 ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી. 342 ગુજરાત રાજયનો સ્થાપનાનો મહા સમારોહ કયાં યોજવામાં આવ્યો હતો? Ans: સાબરમતી આશ્રમ-અમદાવાદ 343 ગુજરાત રાજયમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? Ans: સાત 344 ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા દોઢ સદીથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. Ans: બુદ્ધિપ્રકાશ 345 ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? Ans: કલ્યાણ વી. મહેતા 346 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ 347 ગુજરાત સલ્તનતના કયા બાદશાહને ‘મુસલમાનોના સિદ્ધરાજ’ અને ‘અકબર જેવો’ ગણવામાં આવે છે ? Ans: મહંમદ બેગડો 348 ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે? Ans: પીછોરા 349 ગુજરાતના ઈતિહાસમાં કયા કાળને સુવર્ણકાળ કહેવામાં આવે છે? Ans: સોલંકી કાળ 350 ગુજરાતના ઈતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી, મહાજન અને ધર્મપ્રેમી જગડુશા કયાંના વતની હતા ? Ans: કચ્છ 351 ગુજરાતના એકમાત્ર હેરીટેજ રૂટ નું નામ શું છે ? Ans: દાંડી હેરીટેજ રૂટ 352 ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી? Ans: ડૉ. હોમી ભાભા 353 ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા? Ans: ડૉ. આઇ. જી. પટેલ 354 ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે? Ans: દિવાળીબેન ભીલ 355 ગુજરાતના કયા કવિને ‘આખ્યાન કવિ શિરોમણી’નું ઉપનામ મળ્યું? Ans: મહાકવિ પ્રેમાનંદ 356 ગુજરાતના કયા કવિને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળ્યું છે ? Ans: ઝવેરચંદ મેઘાણી 357 ગુજરાતના કયા ક્રાંતિકારી ‘ગુજરાત સર્વોચ્ચ ન્યાયાલય’ ના ઊચ્ચ ન્યાયાધીશ હતાં? Ans: અબ્બાસ તૈયબજી 358 ગુજરાતના કયા ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાં પંકજ રોય સાથે પહેલી વિકેટની વિક્રમી ભાગીદારી નોંધાવી હતી? Ans: વિનુ માંકડ 359 ગુજરાતના કયા ખેલાડીએ સૌ પ્રથમ વખત ટેબલ ટેનિસમાં જૂનિયર નેશનલ ટાઇટલ જીત્યું હતું? Ans: હરમીત દેસાઇ 360 ગુજરાતના કયા ગામમાં મૂળ આફ્રિકન વંશના લોકો પોતાની આગવી સંસ્કૃતિ જાળવીને રહે છે ? Ans: સિરવણ 361 ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદને ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરાયા છે? Ans: સલીમઅલી 362 ગુજરાતના કયા જિલ્લાને સૌથી ઓછા તાલુકા છે? કેટલા ? Ans: ડાંગ-૧ 363 ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર 364 ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે ? Ans: પંચમહાલ 365 ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે ? Ans: કચ્છ 366 ગુજરાતના કયા જિલ્લામાં દૂધાળાં ઢોરની સંખ્યા સૌથી વધુ છે ? Ans: આણંદ 367 ગુજરાતના કયા જિલ્લામાં સાગ પુષ્કળ પ્રમાણમાં થાય છે ? Ans: ડાંગ 368 ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે ? Ans: વલસાડ 369 ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ? Ans: કંડલા 370 ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે? Ans: સૌરાષ્ટ્ર 371 ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? Ans: ગિરનાર 372 ગુજરાતના કયા પ્રદેશમાં સૌથી વધુ બંદરો આવેલા છે ? Ans: સૌરાષ્ટ્ર 373 ગુજરાતના કયા પ્રસિદ્ધ ગઝલકાર અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન મળ્યા હતા? Ans: શેખાદમ આબુવાલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન 374 ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ 375 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા 376 ગુજરાતના કયા મેળામાં દૂધાળા પશુઓનું ખરીદ-વેચાણ થાય છે? Ans: વૌઠાનો મેળો 377 ગુજરાતના કયા યાત્રા સ્થળની ગણના ચારધામ યાત્રામાં થાય છે ? Ans: દ્વારકા 378 ગુજરાતના કયા રમતવીરનું નામ વોટરપોલોની રમતમાં જાણીતું છે? Ans: કમલેશ નાણાવટી 379 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત પીપાજી 380 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી 381 ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? Ans: ગરબા 382 ગુજરાતના કયા વિસ્તારમાં યુવકો દ્વારા યુવતીઓને પાનનું બીડું ખવડાવવાની ‘પાનવાડી’ નામની પરંપરા છે? Ans: છોટા ઉદેપુર 383 ગુજરાતના કયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન જોવા છે? Ans: નલિયા 384 ગુજરાતના કયા શહેરની બાંધણી દેશભરમાં પ્રસિદ્ધ છે ? Ans: જામનગર 385 ગુજરાતના કયા શહેરને સાક્ષરનગરી તરીકે ઓળખવામાં આવે છે ? Ans: નડિયાદ 386 ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર 387 ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે? Ans: અમદાવાદ 388 ગુજરાતના કયા શહેરમાં સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટનાં ૩૦,૦૦૦ રન પૂરા કર્યા? Ans: અમદાવાદ 389 ગુજરાતના કયા શહેરમાં સૌથી વધુ શાળાઓ આવેલી છે? Ans: અમદાવાદ 390 ગુજરાતના કયા સ્થળે ૧૨૦૦ વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે? Ans: ઉદવાડા 391 ગુજરાતના કયા સ્વાતંત્રવીર ‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ 392 ગુજરાતના કાયમી નિવાસી એવા સક્કરખોરા પક્ષીઓ એક સેકન્ડમાં કેટલી વાર પાંખો ફફડાવી શકે છે? Ans: ૧૭૫થી ૨૦૦ વખત 393 ગુજરાતના કુલ કેટલા કિ.મી. વિસ્તારમાં રણ પથરાયેલું છે? Ans: ૨૭,૨૦૦ ચો. કિમી. 394 ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીનું જન્મસ્થળ કયું છે? Ans: નવસારી 395 ગુજરાતના ઘરઘરમાં જાણીતાં થનાર જનકલ્યાણ માસિકની શરૂઆત કોણે કરી હતી? Ans: સંત પુનિત મહારાજ 396 ગુજરાતના ચાલુકય રાજવીઓ વિશે માહિતી આપતાં સંસ્કૃત કાવ્ય ‘કુમારપાલ ચરિત્રમ્’નાં રચયિતા કોણ છે? Ans: હેમચન્દ્રાચાર્ય 397 ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ધીરુભાઇ અંબાણી કયાંના મૂળ નિવાસી હતા? Ans: ચોરવાડ 398 ગુજરાતના જાણીતા ચિત્રકાર રવિશંકર રાવળને રાષ્ટ્રીય કક્ષાનો કયો એવોર્ડ પ્રાપ્ત થયો હતો? Ans: પદ્મશ્રી 399 ગુજરાતના દરિયાઇ વિસ્તારમાં દરિયાઇ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? Ans: ત્રણ 400 ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અસ્તિત્વ ધરાવતી વિશાળકાય સ્પર્મ વ્હેલનું વજન આશરે કેટલું હોય છે? Ans: ૪૫થી ૭૦ ટન |
401
ગુજરાતના દસ્તાવેજી ઇતિહાસકાળની શરૂઆત કયાંથી થાય છે? Ans: મૌર્ય કાળથી 402 ગુજરાતના પક્ષીઓ વિશેની વિસ્તૃત જાણકારી આપતું પુસ્તક ‘પક્ષીજગત’ કોણે લખ્યું છે? Ans: પ્રદ્યુમન કંચનરાય દેસાઇ 403 ગુજરાતના પ્રથમ કોશકાર કોણ હતાં ? Ans: કવિ નર્મદ 404 ગુજરાતના પ્રથમ ભૌતિક વિજ્ઞાની કોણ હતા ? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ 405 ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? Ans: હંસા મહેતા 406 ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? Ans: ઇન્દુમતીબેન શેઠ 407 ગુજરાતના પ્રથમ રેડિયો સ્ટેશનની શરૂઆત કયારે, કયાંથી થઇ? Ans: ઇ.સ. ૧૯૩૪માં-વડોદરા 408 ગુજરાતના બધાં જ બંદરોને જોડવા અને દરિયાઇ વ્યાપારને ઉત્તેજન આપવા કયો ધોરીમાર્ગ વિકસાવાયો છે? Ans: લખપતથી ઉમરગામ 409 ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ? Ans: ભાલિયા ઘઉં 410 ગુજરાતના મધ્યકાલીન કવિ ભાલણનું સૌથી વિશેષ પ્રદાન કયા કાવ્ય સ્વરૂપમાં રહ્યું છે? Ans: આખ્યાન 411 ગુજરાતના રાજય પ્રાણીનું નામ જણાવો. Ans: સિંહ 412 ગુજરાતના સૌથી ઊંચા શિખર ગોરખનાથની ઊંચાઇ કેટલી છે? Ans: ૩૬૬૬ ફૂટ 413 ગુજરાતનાં એકમાત્ર આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નામ શું છે ? Ans: સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ 414 ગુજરાતનાં કચ્છી ભીંતચિત્રોને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: કમાંગરી શૈલી 415 ગુજરાતનાં કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? Ans: અંબાલાલ સારાભાઇ 416 ગુજરાતનાં કયા શહેરને ગ્રીનસીટી તરીકે ઓળખવામાં આવે છે? Ans: ગાંધીનગર 417 ગુજરાતનાં ગામોમાં ચોવીસ કલાક વિજળી કઇ યોજના હેઠળ આપવામાં આવે છે? Ans: જયોતિગ્રામ યોજના 418 ગુજરાતનાં મધ્યભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? Ans: કર્કવૃત્ત 419 ગુજરાતનાં સૌપ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું છે? Ans: વિદ્યાગૌરી નીલકંઠ 420 ગુજરાતની અસ્મિતા’ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કરનાર ગુજરાતી લેખકનું નામ જણાવો. Ans: કનૈયાલાલ મુનશી 421 ગુજરાતની અંતઃસ્થ નદીઓના નામ જણાવો. Ans: બનાસ, સરસ્વતી અને રૂપેણ 422 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી Ans: ધ્યાની દવે 423 ગુજરાતની કઇ જાણીતી હોટલમાં પિત્તળના વાસણોનું સંગ્રહસ્થાન બનાવવામાં આવ્યું છે? Ans: વિશાલા હોટલ-અમદાવાદ 424 ગુજરાતની કઇ ત્રણ નદીઓ અંતસ્થઃ ગણાય છે? Ans: સરસ્વતી, બનાસ અને રૂપેણ 425 ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? Ans: વિશ્વામિત્રી 426 ગુજરાતની કઇ નદીનું નામ એક કેન્દ્રશાસિત પ્રદેશના નામ પરથી રાખવામાં આવ્યું છે? Ans: દમણ ગંગા 427 ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા 428 ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે? Ans: બી.આર.ટી.એસ 429 ગુજરાતની કઇ સંસ્થા વન્યજીવોના અભ્યાસ તેમજ સંરક્ષણ માટેની કામગીરી કરે છે? Ans: ગુજરાત વાઈલ્ડ લાઈફ સોસાયટી 430 ગુજરાતની કઈ સંસ્થા વાલ્મીકિ રામાયણની સમીક્ષિત-પાઠ સંપાદનની કામગીરી દ્વારા વિશ્વપ્રસિદ્ધ થઇ છે? Ans: પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા 431 ગુજરાતની કઈ હિંમતવંતી નારીએ સને ૧૧૭૯માં શહાબુદ્દીન ઘોરીને હરાવી પાછો કાઢ્યો હતો? Ans: નાયિકાદેવી 432 ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓનું વડું મથક કયું છે? Ans: દાંતીવાડા 433 ગુજરાતની ક્રિકેટ ટીમ સૌપ્રથમ કયારે ‘રણજી ટ્રોફી’ની ફાઇનલમાં પ્રવેશી હતી ? Ans: ઇ.સ.૧૯૫૦ 434 ગુજરાતની ખારબેન્કને ફળદ્રુપ બનાવવા માટે કઇ યોજના વિચારાધીન છે ? Ans: કલ્પસર 435 ગુજરાતની ઘોરીનસ તરીકે ઓળખાતો રાષ્ટ્રીય રાજમાર્ગ કયો છે? Ans: રાષ્ટ્રીય રાજમાર્ગ નં. ૮ 436 ગુજરાતની પ્રથમ ઔદ્યોગિક વસાહત કયાં સ્થપાઈ હતી? Ans: રાજકોટ 437 ગુજરાતની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો. Ans: સુનિતા વિલિયમ્સ 438 ગુજરાતની પ્રથમ લૉ કોલેજ કોણે-કોણે શરૂ કરી હતી? Ans: સરદાર પટેલ, કસ્તુરભાઇ લાલભાઇ, પુરુષોત્તમ માવળંકર 439 ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઇ છે? Ans: છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય 440 ગુજરાતની પ્રાચીન નદી શ્વભ્રવતી આધુનિક કાળમાં કયા નામે ઓળખાય છે ? Ans: સાબરમતી 441 ગુજરાતની ભૌગોલિક સીમાઓનો વિસ્તાર કયા કુળનાં શાસનમાં સૌથી વધારે થયો? Ans: સોલંકી વંશ 442 ગુજરાતની વડી અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા? Ans: સુંદરલાલ ત્રિકમલાલ દેસાઇ 443 ગુજરાતની વિધાનસભા કયા મહાનુભાવના નામ ઉપરથી છે? Ans: વિઠ્ઠલભાઇ પટેલ 444 ગુજરાતની વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? Ans: કલ્યાણજી મહેતા 445 ગુજરાતની સરહદ કયા દેશને સ્પર્શે છે ? Ans: પાકિસ્તાન 446 ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? Ans: નર્મદા 447 ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે? Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ 448 ગુજરાતની સૌથી મોટી સિંચાઇ યોજના કઇ છે? Ans: સરદાર સરોવર નર્મદા યોજના 449 ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? Ans: બબલભાઈ મહેતા 450 ગુજરાતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કયાં અને કયારે થઇ ? Ans: દાંતીવાડા-ઇ.સ. ૧૯૭૩ |
451
ગુજરાતની સૌપ્રથમ ફાઇન આર્ટસ કોલેજ કયા શહેરમાં સ્થપાઇ હતી? Ans: વડોદરા 452 ગુજરાતની સૌપ્રથમ લૉ યુનિવર્સીટી કયાં આવેલી છે? Ans: ગાંધીનગર 453 ગુજરાતનું ‘નેશનલ મરીન પાર્ક’ કયાં આવેલું છે ? Ans: જામનગર 454 ગુજરાતનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈમથક કયા શહેરમાં છે ? Ans: અમદાવાદ 455 ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભિયારણ્ય કયાં આવેલું છે? Ans: જામનગર 456 ગુજરાતનું એકમાત્ર હીલ સ્ટેશન કયું છે ? Ans: સાપુતારા 457 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત 458 ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? Ans: સુરત 459 ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે? Ans: પાટણ 460 ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું? Ans: અમદાવાદ 461 ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે? Ans: વડોદરા 462 ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું? Ans: અમદાવાદ 463 ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે? Ans: પાલિતાણા 464 ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ? Ans: જામનગર 465 ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે? Ans: કબીરવડ 466 ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ? Ans: અંકલેશ્વર 467 ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે? Ans: ૧૧૫૩ ચો. કિ.મી. 468 ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે? Ans: રેતીયા પથ્થર 469 ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ? Ans: હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ 470 ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું? Ans: ભરૂચ 471 ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ? Ans: લુણેજ 472 ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ? Ans: વેરાવળ 473 ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે? Ans: આંબો 474 ગુજરાતનું રાજયપક્ષી કયું છે? Ans: સુરખાબ 475 ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ 476 ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે? Ans: ગરબા 477 ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે? Ans: નવમું 478 ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? Ans: ૨૭.૫૦ ડિગ્રી સે. 479 ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ? Ans: સાયન્સ સીટી-અમદાવાદ 480 ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ? Ans: ગોરખનાથ-ગિરનાર 481 ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? Ans: ગિરનાર 482 ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? Ans: કચ્છ મ્યુઝિયમ 483 ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ? Ans: નળ સરોવર 484 ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે? Ans: અંકલેશ્વર 485 ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે? Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની 486 ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું? Ans: ઊંઝા 487 ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ? Ans: અંકલેશ્વર 488 ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ? Ans: ધુવારણ 489 ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ? Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા 490 ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ? Ans: વડોદરા 491 ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ? Ans: અમદાવાદ 492 ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું? Ans: પીજ 493 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ? Ans: અમરેલી 494 ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે? Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી 495 ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? Ans: જામનગર 496 ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું? Ans: ગોપનાથ 497 ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટ કયાંથી કયાં સુધી જાય છે ? Ans: સાબરમતી આશ્રમથી દાંડી 498 ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે? Ans: કચ્છ 499 ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે? Ans: કચ્છ 500 ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે ? Ans: અમદાવાદ |