ભારત - રાષ્ટ્રીય યુવા દિવસ
આજે ૧૨મી જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય યુવા દિવસ. આ દિવસ આપણે સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિતે ઉજવીએ છીએ કારણકે તેઓ આજની તારીખે પણ યુવાનો માટે આદર્શ સમાન છે. તેઓને એક સંત પણ કહી શકાય અને એક વિદ્વાન પણ, એક ગુરુ પણ કહી શકાય અને એક માર્ગદર્શક પણ... ભારતે તેઓના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસનુ બિરુદ આપ્યુ તે પણ એકદમ બંધ બેસતુ જ છે પણ શુ આપણે સ્વામી વિવેકાનંદના કોઇ વાક્યોને જીવનમા ઉતારીએ છીએ? સ્વામી વિવેકાનંદના સુવિચારોના પુસ્તકો ફક્ત 4-5 રુપીયાની કિંમતમા બજારમા મળે છે પણ શુ આપણે તે ખરીદવાની દરકાર લઇએ છીએ? આ 4-5 રુપીયાની કિંમતનુ જો કોઇ એક પુસ્તક ભારતના હજારો યુવાનોના જીવનમા ઉતરી જાય તો ભારતનો બેડો પાર થઇ જાય પરંતુ હાલના વાતાવરણમા આવુ કઇ જોવા મળતુ નથી. હાલ ભારતનુ ઘણુખરુ યુવાધન વ્યસની બની ગયુ છે. સિગારેટ, દારુ તથા તમાકુના વ્યસને આજના યુવાધનને પોતાની જાળમા ફસાવી લીધુ છે અને હજુ પણ નવયુવાનો વ્યસનની જાળમા ધકેલાતા જ જાય છે. 16 થી 21 વર્ષની ઉંમરના ઘણા યુવાનો સિગારેટ ફુંકતા જોવા મળે છે. 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઊજવણીનુ બહાનુ કરી દારુની પાર્ટીઓનુ આયોજન કરે છે. આવા યુવાનો ખાસ તો એક પ્રકારનો દેખાવ ઊભો કરવા પણ આવુ કરતા હોય છે. કોઇ ફિલ્મ જોયા પછી જે-તે ફિલ્મના નાયકની કૉપી કરવા માટે તેઓ પણ સિગારેટ તથા દારુના વ્યસનીઓ બની જાય છે. મિત્રો આજના ભારતને વ્યસની ના હોય તેવા યુવાનોની જરુર છે. આપણા દેશને આગળ લાવવા આપણે યુવાઓએ આપણા બૌદ્ધિક ધનનો ઉપયોગ કરવાનો છે. આ કાર્ય માટે યુવાનોએ વ્યસન છોડી સ્વામીજીના વિચારોનુ આચરણ કરવુ જ પડશે. સ્વામીજીએ કહ્યુ છે તેમ ભગવત ગીતા વાંચવા ને બદલે યુવાનોએ ફુટબૉલની રમત રમવી જોઇએ કારણકે જો તેના સ્નાયુઓ મજબુત હશે તો જ તે ભગવત ગીતામા રહેલ ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરુપને સમજી શકશે.
સ્વામીજીના પ્રખ્યાત સુવાક “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો” ના અર્થને સાકાર કરી આજથી જ ઉઠી જાઓ અને ધ્યેય માટે જરુરી મહેનત કરવા માંડો... આ સમય યુવાનોએ કાર્ય કરવાનો સમય છે, આગળ વધવાનો સમય છે. જીવનને વ્યસનરુપી રાક્ષસથી
આજે ૧૨મી જાન્યુઆરી એટલે કે ભારતનો રાષ્ટ્રીય યુવા દિવસ. આ દિવસ આપણે સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિતે ઉજવીએ છીએ કારણકે તેઓ આજની તારીખે પણ યુવાનો માટે આદર્શ સમાન છે. તેઓને એક સંત પણ કહી શકાય અને એક વિદ્વાન પણ, એક ગુરુ પણ કહી શકાય અને એક માર્ગદર્શક પણ... ભારતે તેઓના જન્મદિવસને રાષ્ટ્રીય યુવા દિવસનુ બિરુદ આપ્યુ તે પણ એકદમ બંધ બેસતુ જ છે પણ શુ આપણે સ્વામી વિવેકાનંદના કોઇ વાક્યોને જીવનમા ઉતારીએ છીએ? સ્વામી વિવેકાનંદના સુવિચારોના પુસ્તકો ફક્ત 4-5 રુપીયાની કિંમતમા બજારમા મળે છે પણ શુ આપણે તે ખરીદવાની દરકાર લઇએ છીએ? આ 4-5 રુપીયાની કિંમતનુ જો કોઇ એક પુસ્તક ભારતના હજારો યુવાનોના જીવનમા ઉતરી જાય તો ભારતનો બેડો પાર થઇ જાય પરંતુ હાલના વાતાવરણમા આવુ કઇ જોવા મળતુ નથી. હાલ ભારતનુ ઘણુખરુ યુવાધન વ્યસની બની ગયુ છે. સિગારેટ, દારુ તથા તમાકુના વ્યસને આજના યુવાધનને પોતાની જાળમા ફસાવી લીધુ છે અને હજુ પણ નવયુવાનો વ્યસનની જાળમા ધકેલાતા જ જાય છે. 16 થી 21 વર્ષની ઉંમરના ઘણા યુવાનો સિગારેટ ફુંકતા જોવા મળે છે. 31 ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઊજવણીનુ બહાનુ કરી દારુની પાર્ટીઓનુ આયોજન કરે છે. આવા યુવાનો ખાસ તો એક પ્રકારનો દેખાવ ઊભો કરવા પણ આવુ કરતા હોય છે. કોઇ ફિલ્મ જોયા પછી જે-તે ફિલ્મના નાયકની કૉપી કરવા માટે તેઓ પણ સિગારેટ તથા દારુના વ્યસનીઓ બની જાય છે. મિત્રો આજના ભારતને વ્યસની ના હોય તેવા યુવાનોની જરુર છે. આપણા દેશને આગળ લાવવા આપણે યુવાઓએ આપણા બૌદ્ધિક ધનનો ઉપયોગ કરવાનો છે. આ કાર્ય માટે યુવાનોએ વ્યસન છોડી સ્વામીજીના વિચારોનુ આચરણ કરવુ જ પડશે. સ્વામીજીએ કહ્યુ છે તેમ ભગવત ગીતા વાંચવા ને બદલે યુવાનોએ ફુટબૉલની રમત રમવી જોઇએ કારણકે જો તેના સ્નાયુઓ મજબુત હશે તો જ તે ભગવત ગીતામા રહેલ ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરુપને સમજી શકશે.
સ્વામીજીના પ્રખ્યાત સુવાક “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો” ના અર્થને સાકાર કરી આજથી જ ઉઠી જાઓ અને ધ્યેય માટે જરુરી મહેનત કરવા માંડો... આ સમય યુવાનોએ કાર્ય કરવાનો સમય છે, આગળ વધવાનો સમય છે. જીવનને વ્યસનરુપી રાક્ષસથી
૧૫ ઓગષ્ટ – સ્વતંત્રતા દિવસ
15મી ઓગષ્ટ, 1947 એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે 65 વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી, આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ શુ આપણે જે રીતે અધિકારો ભોગવીએ છીએ તે જ બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યો નિભાવીએ છીએ?
બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યોમાં રાષ્ટ્ર ધ્વજ માટે નીચે મુજબના બે વાક્યો પણ છે.
જે રીતે આપણે બંધારણના અધિકારો ભોગવીએ છીએ તે જ રીતે બંધારણના કર્તવ્યો/ફરજો નિભાવવાની પણ એક જાગૃત નાગરિક તરીકેની આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યશાસ્ત્રના એક વિચારક અનુસાર જો આપણે આપણા કર્તવ્યો સંપૂર્ણપણે નિભાવીએ તો સામેની વ્યક્તિને પોતાના અધિકારો આપોઆપ મળી જાય છે.રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રગીત એ આપણી રાષ્ટ્રીય સંપતિ છે અને આ સંપતિનુ જતન કરવુ એ આપણી નૈતિક જવાબદારી છે તેથી મિત્રો, આજે જ સંકલ્પ કરો કે “હુ મારા રાષ્ટ્રના રાષ્ટ્ર ધ્વજ તેમજ રાષ્ટ્રગીતનુ સંપૂર્ણપણે સમ્માન રાખીશ તેમજ બીજાઓને પણ આ બાબતે જાગૃત કરીશ અને જો રસ્તા પર રાષ્ટ્ર ધ્વજ પડેલો દેખાશે તો શરમ રાખ્યા વિના તેને ત્યાથી ઉપાડી અને યોગ્ય જગ્યારે જમીનથી ઉપર મુકીશ”
આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ... જય હિન્દ, જય ભારત.
15મી ઓગષ્ટ, 1947 એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે. આ દિવસે વર્ષો સુધી ગુલામ રહેલ ભારત આઝાદ બન્યુ હતુ અને આપણા દેશે સ્વતંત્ર વાતાવરણમાંથી શ્વાસ લેવાનુ ચાલુ કર્યુ હતુ. આજે ભારત દેશ સ્વતંત્ર થયે 65 વર્ષો વિતી ચુક્યા છે. ભારત દેશમાં બંધારણ દ્વારા નાગરિકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોને મુળભૂત અધિકારો તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ કહેવાય છે કે અધિકારો વિના માનવ વિકાસ શક્ય નથી, આ કારણ થી જ આપણા બંધારણમાં નાગરિકોને અધિકારો આપવામાં આવ્યા છે. અધિકારોની સાથોસાથ આપણા બંધારણમાં નાગરિકોના કર્તવ્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ શુ આપણે જે રીતે અધિકારો ભોગવીએ છીએ તે જ બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યો નિભાવીએ છીએ?
બંધારણમાં આપવામાં આવેલા કર્તવ્યોમાં રાષ્ટ્ર ધ્વજ માટે નીચે મુજબના બે વાક્યો પણ છે.
- રાષ્ટ્રીય ધ્વજ, રાષ્ટ્રગીત અને ભારતીય સંવિધાન પ્રતિ અપમાન પ્રદર્શિત ન થાય તેના પ્રત્યે સભાન રહેવુ.
- રાષ્ટ્રીય ધ્વજનુ પ્રદર્શન કરતી વેળા યોગ્ય વર્તન કરવુ.
જે રીતે આપણે બંધારણના અધિકારો ભોગવીએ છીએ તે જ રીતે બંધારણના કર્તવ્યો/ફરજો નિભાવવાની પણ એક જાગૃત નાગરિક તરીકેની આપણી નૈતિક જવાબદારી છે. રાજ્યશાસ્ત્રના એક વિચારક અનુસાર જો આપણે આપણા કર્તવ્યો સંપૂર્ણપણે નિભાવીએ તો સામેની વ્યક્તિને પોતાના અધિકારો આપોઆપ મળી જાય છે.રાષ્ટ્રધ્વજ તેમજ રાષ્ટ્રગીત એ આપણી રાષ્ટ્રીય સંપતિ છે અને આ સંપતિનુ જતન કરવુ એ આપણી નૈતિક જવાબદારી છે તેથી મિત્રો, આજે જ સંકલ્પ કરો કે “હુ મારા રાષ્ટ્રના રાષ્ટ્ર ધ્વજ તેમજ રાષ્ટ્રગીતનુ સંપૂર્ણપણે સમ્માન રાખીશ તેમજ બીજાઓને પણ આ બાબતે જાગૃત કરીશ અને જો રસ્તા પર રાષ્ટ્ર ધ્વજ પડેલો દેખાશે તો શરમ રાખ્યા વિના તેને ત્યાથી ઉપાડી અને યોગ્ય જગ્યારે જમીનથી ઉપર મુકીશ”
આપ સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ... જય હિન્દ, જય ભારત.
૨૬ જાન્યુઆરી - ગણતંત્ર દિવસ
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે સ્વતંત્ર ભારતે પોતાનુ બંધારણ અપનાવ્યુ તેને આજે ૬૦ વર્ષથી પણ વધુ સમય વિતી ગયો. આ ૬૦ વર્ષોમા ભારતે ઘણો વિકાસ કર્યો ઘણા શિખરો સર કર્યા. ૨૬ જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એ દિવસ છે જ્યારથી આપણા દેશે બંધારણ અપનાવી તેનો અમલ કરવાનુ શરુ કર્યુ. આ વર્ષે બીજી એક વિશેષતા એ પણ છે કે આપણા રાષ્ટ્રીય ગીત “જનગણ મન” ને ૧૦૦ વર્ષ પુરા થઇ ગયા. આ ગીતની રચના નૉબેલ પુરસ્કાર વિજેતા શ્રી રવિન્દ્રનાથ ઠાકુરે કરી હતી અને સૌ પ્રથમ તેને ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમા જાહેરમા ગાવામા આવ્યુ હતુ અને ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ સભા દ્વારા આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામા આવ્યુ હતુ.
આ ગીત વિશે હાલમા એક એવી માન્યતા પ્રચલિત થઇ છે કે જ્યારે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરી ડિસેમ્બર, ૧૯૧૧મા ભારત આવ્યા હતા ત્યારે તેમના માટે આ ગીત ગાવામા આવ્યુ હતુ અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ તેમના માટે ઉપયોગ કરવામા આવ્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જ્યારે બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યુ ત્યારે આ ગીતના ભાવને ધ્યાને લેવાયો હતો અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ ભગવાન માટે છે અને આ ગીત પણ ભગવાનની એક પ્રાર્થના રુપે જ છે તેવુ માની અને આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામા આવ્યુ હતુ.
૧૦૦ વર્ષ પૂર્વેના આ પ્રસંગને ધ્યાને લઇ આ ગીત વિશે અમુક લોકો ખોટી અફવાઓ ઉડાવતા જણાય છે પરંતુ આ પ્રસંગની બીજી એકવાત પણ જાણવા જેવી છે. --બ્રિટનના રાજા જ્યોર્જ જ્યારે ભારત આવ્યા ત્યારે ભારતમા તેમનુ શાહી સ્વાગત કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ભારતના દેશી રજવાડાઓના લગભગ દરેક રાજાઓને પણ આમંત્રિત કરવામા આવ્યા હતા અને તે દરેક રાજાઓ પોતાની વિશિષ્ટ વેશભૂષામા ત્યા હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે સયાજીરાવ ગાયકવાડ એકમાત્ર એવા રાજા હતા જેઓને મન આ પ્રસંગ એકદમ સામાન્ય હતો અને તેથી જ તેઓ આ સામાન્ય પ્રસંગને અનુરુપ એકદમ સામાન્ય વેશભૂષામા ત્યા હાજર રહ્યા હતા. આ પ્રસંગમા તમામ રાજવીઓએ રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરીને મળી જ્યારે પાછા વળતી વેળાએ પાછળ ફર્યા વિના જ પાંચ-સાત ડગલા પાછળ ચાલીને જવાનુ બ્રિટિશ અધિકારીઓ દ્વારા શીખવવામા આવ્યુ હતુ પરંતુ સયાજીરાવ ગાયકવાડ પોતાની આદત મુજબ જ પોતાની છડી (લાકડી) ફેરવતા ફેરવતા જ રાજા જ્યોર્જને મળવા ગયા અને લુખ્ખુ અભિવાદન કરી અને ત્યાથી નિકળી ગયા હતા. જો કે પાછળથી તેઓ માટે જબરો વિરોધ ફેલાયો હતો અને બ્રિટિશ સરકારે તેઓને પદભ્રષ્ટ કરવાનો પણ નિર્ણય લીધો હતો પરંતુ વડોદરા સ્ટેટમા તેઓની લોકપ્રિયતાને જોતા આવુ કઇ થઇ શક્યુ નહી
આપણને દેશવાસીઓને આ પ્રકારના પ્રસંગ યાદ રહેતા નથી પરંતુ કોઇ કહેવાતા વિદ્વાનો જ્યારે રાષ્ટ્રીય ગીતની આ પ્રકારે ટીકા કરે તેવા પ્રસંગો / વાક્યો જ યાદ રહે છે. આપણે આપણા દેશની સંસ્કૃતિ, મહાનતા, ઇતિહાસ વગેરે ધ્યાને રાખી તેને માન આપવુ જોઇએ. આપણા પાઠ્યપુસ્તકો પરના પ્રથમ પેજ પરના પ્રતિજ્ઞાપત્રને યાદ કરી ભારત દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ હોવો જોઇએ તથા તેને હંમેશા લાયક બનવા પ્રયત્ન કરવો જોઇએ. દેશ બંધુઓને નિષ્ઠા અર્પી તેમના કલ્યાણ અને સમૃદ્ધિમા જ આપણુ સુખ માનવુ જોઇએ. –જય હિન્દ
૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના દિવસે સ્વતંત્ર ભારતે પોતાનુ બંધારણ અપનાવ્યુ તેને આજે ૬૦ વર્ષથી પણ વધુ સમય વિતી ગયો. આ ૬૦ વર્ષોમા ભારતે ઘણો વિકાસ કર્યો ઘણા શિખરો સર કર્યા. ૨૬ જાન્યુઆરીને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ. આ એ દિવસ છે જ્યારથી આપણા દેશે બંધારણ અપનાવી તેનો અમલ કરવાનુ શરુ કર્યુ. આ વર્ષે બીજી એક વિશેષતા એ પણ છે કે આપણા રાષ્ટ્રીય ગીત “જનગણ મન” ને ૧૦૦ વર્ષ પુરા થઇ ગયા. આ ગીતની રચના નૉબેલ પુરસ્કાર વિજેતા શ્રી રવિન્દ્રનાથ ઠાકુરે કરી હતી અને સૌ પ્રથમ તેને ૨૭ ડિસેમ્બર, ૧૯૧૧ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશનમા જાહેરમા ગાવામા આવ્યુ હતુ અને ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ સભા દ્વારા આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામા આવ્યુ હતુ.
આ ગીત વિશે હાલમા એક એવી માન્યતા પ્રચલિત થઇ છે કે જ્યારે બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરી ડિસેમ્બર, ૧૯૧૧મા ભારત આવ્યા હતા ત્યારે તેમના માટે આ ગીત ગાવામા આવ્યુ હતુ અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ તેમના માટે ઉપયોગ કરવામા આવ્યો હતો. પરંતુ ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે જ્યારે બંધારણ સભાએ આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યુ ત્યારે આ ગીતના ભાવને ધ્યાને લેવાયો હતો અને “ભારત ભાગ્યવિધાતા” શબ્દ ભગવાન માટે છે અને આ ગીત પણ ભગવાનની એક પ્રાર્થના રુપે જ છે તેવુ માની અને આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામા આવ્યુ હતુ.
૧૦૦ વર્ષ પૂર્વેના આ પ્રસંગને ધ્યાને લઇ આ ગીત વિશે અમુક લોકો ખોટી અફવાઓ ઉડાવતા જણાય છે પરંતુ આ પ્રસંગની બીજી એકવાત પણ જાણવા જેવી છે. --બ્રિટનના રાજા જ્યોર્જ જ્યારે ભારત આવ્યા ત્યારે ભારતમા તેમનુ શાહી સ્વાગત કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ભારતના દેશી રજવાડાઓના લગભગ દરેક રાજાઓને પણ આમંત્રિત કરવામા આવ્યા હતા અને તે દરેક રાજાઓ પોતાની વિશિષ્ટ વેશભૂષામા ત્યા હાજરી આપવા આવ્યા હતા. આ પ્રસંગે સયાજીરાવ ગાયકવાડ એકમાત્ર એવા રાજા હતા જેઓને મન આ પ્રસંગ એકદમ સામાન્ય હતો અને તેથી જ તેઓ આ સામાન્ય પ્રસંગને અનુરુપ એકદમ સામાન્ય વેશભૂષામા ત્યા હાજર રહ્યા હતા. આ પ્રસંગમા તમામ રાજવીઓએ રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરીને મળી જ્યારે પાછા વળતી વેળાએ પાછળ ફર્યા વિના જ પાંચ-સાત ડગલા પાછળ ચાલીને જવાનુ બ્રિટિશ અધિકારીઓ દ્વારા શીખવવામા આવ્યુ હતુ પરંતુ સયાજીરાવ ગાયકવાડ પોતાની આદત મુજબ જ પોતાની છડી (લાકડી) ફેરવતા ફેરવતા જ રાજા જ્યોર્જને મળવા ગયા અને લુખ્ખુ અભિવાદન કરી અને ત્યાથી નિકળી ગયા હતા. જો કે પાછળથી તેઓ માટે જબરો વિરોધ ફેલાયો હતો અને બ્રિટિશ સરકારે તેઓને પદભ્રષ્ટ કરવાનો પણ નિર્ણય લીધો હતો પરંતુ વડોદરા સ્ટેટમા તેઓની લોકપ્રિયતાને જોતા આવુ કઇ થઇ શક્યુ નહી
આપણને દેશવાસીઓને આ પ્રકારના પ્રસંગ યાદ રહેતા નથી પરંતુ કોઇ કહેવાતા વિદ્વાનો જ્યારે રાષ્ટ્રીય ગીતની આ પ્રકારે ટીકા કરે તેવા પ્રસંગો / વાક્યો જ યાદ રહે છે. આપણે આપણા દેશની સંસ્કૃતિ, મહાનતા, ઇતિહાસ વગેરે ધ્યાને રાખી તેને માન આપવુ જોઇએ. આપણા પાઠ્યપુસ્તકો પરના પ્રથમ પેજ પરના પ્રતિજ્ઞાપત્રને યાદ કરી ભારત દેશના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગર્વ હોવો જોઇએ તથા તેને હંમેશા લાયક બનવા પ્રયત્ન કરવો જોઇએ. દેશ બંધુઓને નિષ્ઠા અર્પી તેમના કલ્યાણ અને સમૃદ્ધિમા જ આપણુ સુખ માનવુ જોઇએ. –જય હિન્દ
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂ
તા. 23 માર્ચ, 1931 તારીખ આપણા આઝાદ ભારતમા એક ઐતિહાસિક તારીખ ગણવામા આવે છે કારણકે આ દિવસે જ આપણા દેશના બહાદુર ક્રાંતિકારીઓ સુખદેવ, ભગતસિંહ તથા રાજગુરૂ શહીદ થયા હતા. ભારત દેશની આઝાદી માટે અસંખ્ય ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનુ બલિદાન આપ્યુ છે. શહીદ ભગતસિંહ ફક્ત 23 વર્ષની પોતાની યુવાનીમા જ દેશ માટે શહીદી પામ્યા. તેઓએ દેશમાટે ઘણા અગત્યના કાર્યો કરી તે સમયના લોકોને દેશ માટે કઇક કરવાની પ્રેરણા આપી.
ભારતના લોકોનુ ભાગ્ય નક્કી કરવા માટે બ્રિટિશ સરકારે સાઇમન કમીશનને ભારત મોકલ્યુ. આ કમીશન ભારત આવી નક્કી કરવાનુ હતુ કે ભારતના લોકો એટલી યોગ્યતા ધરાવે છે કે તેઓને વધુ બંધારણીય અધિકારો અપાય? અને જો આપવામા આવે તો તેનુ રૂપ શુ હોવુ જોઇએ? આ કમીશનના બધા જ સદસ્યો અંગ્રેજ હતા. બ્રિટિશ સરકારની દૃષ્ટિએ એકપણ ભારતીય એ યોગ્ય ન હતો કે તેને આ કમીશનમા સદસ્યતા આપી શકાય. તેથી આ કમીશન જ્યારે ભારત આવ્યુ ત્યારે તેનો પ્રચંડ વિરોધ થયો. આ સમયે બ્રિટિશ સરકારે પોલીસ દ્વારા ટોળાઓ પર લાઠી ચાર્જ કરાવ્યો. આ લાઠીચાર્જમા પંજાબના મહાન નેતા લાલા લજપતરાય શહીદ થયા. લાલાજીના મૃત્યુ ને લીધે યુવાન ક્રાંતિકારીઓ ઉકળી ઉઠ્યા અને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ તથા બટુકેશ્વર દત્તે લાઠીચાર્જનુ નેતૃત્વ કરનાર અધિકારી સાંડર્સની હત્યા કરી. ક્રાંતિકારીઓએ એવુ પણ નક્કી કર્યુ કે પ્રજાને પણ આ જનક્રાંતિથી પરિચિત કરાવવી. પરિણામે 8 એપ્રિલ, 1929ના રોજ ભગતસિંહ તથા બટુકેશ્વર દત્તે કેન્દ્રીય ધારા સભામા બમ ફેંક્યો. આ બમથી કોઇ જાનહાની થવા પામી નહી, જો કે આ બમને તે રીતે જ બનાવાયો હતો કે કોઇ જાનહાની થાય નહી. ક્રાંતિકારીઓના મત મુજબ આ બમનો ફક્ત એકજ ઉદેશ્ય હતો કે “બહેરાઓને સંભળાવવુ”. આ બમ ફેંક્યા બાદ ભગતસિંહ તથા બટુકેશ્વર દત્ત ત્યાથી ભાગ્યા પણ નહોતા કારણકે તેઓને પોતાની ધરપકડ કરાવવી જ હતી અને અદાલતનો એક મંચ તરીકે તેઓ ઉપયોગ કરવા માંગતા હતા.
ભગતસિંહ પર સાંડર્સ હત્યાનો કેસ ચાલ્યો. આ કેસ દરમિયાન પણ તેઓએ અદાલતમા આપેલા પોતાના ઐતિહાસિક નિવેદનોએ પ્રજાનુ ર્હદય જીતી લીધુ અને અનેક યુવાનોના મનમા દેશપ્રેમ જગાવ્યો.
જનતાના દેશવ્યાપી વિરોધ છતા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામા આવી.
23 વર્ષીય ભગતસિંહ પોતે દેશ માટે બહુ ઊંડી ભાવના ધરાવતા હતા તેમજ તેઓના પત્રો પરથી સમાજવાદમા તેઓની ભાવના પણ સ્પષ્ટ દેખાય છે. ઇતિહાસકારોના મત મુજબ ભગતસિંહે સમાજવાદની એક નવી પરિભાષા આપી હતી જેનો મતલબ “પુંજીવાદ તથા વર્ગીય શાસનનો અંત” એવો થાય છે. ભગતસિંહે લખેલા પત્રમા જણાવ્યુ છે કે કિશાનોએ ફક્ત વિદેશી શાસનથી જ નહી પરંતુ જમીનદારો અને પુંજીપતિઓથી પણ પોતાને મુક્ત કરાવવા પડશે. ભગતસિંહે પોતાના એક અંતિમ સંદેશમા જણાવ્યુ છે કે ભારતમા ત્યા સુધી સંઘર્ષ ચાલુ રહેશે જ્યા સુધી મુઠ્ઠીભર શોષકો પોતાના સ્વાર્થ માટે સાધારણ જનતાની મહેનતનુ શોષણ કરશે –જો કે ભગતસિંહનો આખરી સંદેશ હાલના ભારતમા પણ લાગુ પડે છે પરંતુ આજના ભારતમા ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરૂ જેવા દેશપ્રેમીઓની અછત બચાવી આગળ વધો...
તા. 23 માર્ચ, 1931 તારીખ આપણા આઝાદ ભારતમા એક ઐતિહાસિક તારીખ ગણવામા આવે છે કારણકે આ દિવસે જ આપણા દેશના બહાદુર ક્રાંતિકારીઓ સુખદેવ, ભગતસિંહ તથા રાજગુરૂ શહીદ થયા હતા. ભારત દેશની આઝાદી માટે અસંખ્ય ક્રાંતિકારીઓએ પોતાના પ્રાણનુ બલિદાન આપ્યુ છે. શહીદ ભગતસિંહ ફક્ત 23 વર્ષની પોતાની યુવાનીમા જ દેશ માટે શહીદી પામ્યા. તેઓએ દેશમાટે ઘણા અગત્યના કાર્યો કરી તે સમયના લોકોને દેશ માટે કઇક કરવાની પ્રેરણા આપી.
ભારતના લોકોનુ ભાગ્ય નક્કી કરવા માટે બ્રિટિશ સરકારે સાઇમન કમીશનને ભારત મોકલ્યુ. આ કમીશન ભારત આવી નક્કી કરવાનુ હતુ કે ભારતના લોકો એટલી યોગ્યતા ધરાવે છે કે તેઓને વધુ બંધારણીય અધિકારો અપાય? અને જો આપવામા આવે તો તેનુ રૂપ શુ હોવુ જોઇએ? આ કમીશનના બધા જ સદસ્યો અંગ્રેજ હતા. બ્રિટિશ સરકારની દૃષ્ટિએ એકપણ ભારતીય એ યોગ્ય ન હતો કે તેને આ કમીશનમા સદસ્યતા આપી શકાય. તેથી આ કમીશન જ્યારે ભારત આવ્યુ ત્યારે તેનો પ્રચંડ વિરોધ થયો. આ સમયે બ્રિટિશ સરકારે પોલીસ દ્વારા ટોળાઓ પર લાઠી ચાર્જ કરાવ્યો. આ લાઠીચાર્જમા પંજાબના મહાન નેતા લાલા લજપતરાય શહીદ થયા. લાલાજીના મૃત્યુ ને લીધે યુવાન ક્રાંતિકારીઓ ઉકળી ઉઠ્યા અને ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ તથા બટુકેશ્વર દત્તે લાઠીચાર્જનુ નેતૃત્વ કરનાર અધિકારી સાંડર્સની હત્યા કરી. ક્રાંતિકારીઓએ એવુ પણ નક્કી કર્યુ કે પ્રજાને પણ આ જનક્રાંતિથી પરિચિત કરાવવી. પરિણામે 8 એપ્રિલ, 1929ના રોજ ભગતસિંહ તથા બટુકેશ્વર દત્તે કેન્દ્રીય ધારા સભામા બમ ફેંક્યો. આ બમથી કોઇ જાનહાની થવા પામી નહી, જો કે આ બમને તે રીતે જ બનાવાયો હતો કે કોઇ જાનહાની થાય નહી. ક્રાંતિકારીઓના મત મુજબ આ બમનો ફક્ત એકજ ઉદેશ્ય હતો કે “બહેરાઓને સંભળાવવુ”. આ બમ ફેંક્યા બાદ ભગતસિંહ તથા બટુકેશ્વર દત્ત ત્યાથી ભાગ્યા પણ નહોતા કારણકે તેઓને પોતાની ધરપકડ કરાવવી જ હતી અને અદાલતનો એક મંચ તરીકે તેઓ ઉપયોગ કરવા માંગતા હતા.
ભગતસિંહ પર સાંડર્સ હત્યાનો કેસ ચાલ્યો. આ કેસ દરમિયાન પણ તેઓએ અદાલતમા આપેલા પોતાના ઐતિહાસિક નિવેદનોએ પ્રજાનુ ર્હદય જીતી લીધુ અને અનેક યુવાનોના મનમા દેશપ્રેમ જગાવ્યો.
જનતાના દેશવ્યાપી વિરોધ છતા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને 23 માર્ચ, 1931ના રોજ ફાંસી આપવામા આવી.
23 વર્ષીય ભગતસિંહ પોતે દેશ માટે બહુ ઊંડી ભાવના ધરાવતા હતા તેમજ તેઓના પત્રો પરથી સમાજવાદમા તેઓની ભાવના પણ સ્પષ્ટ દેખાય છે. ઇતિહાસકારોના મત મુજબ ભગતસિંહે સમાજવાદની એક નવી પરિભાષા આપી હતી જેનો મતલબ “પુંજીવાદ તથા વર્ગીય શાસનનો અંત” એવો થાય છે. ભગતસિંહે લખેલા પત્રમા જણાવ્યુ છે કે કિશાનોએ ફક્ત વિદેશી શાસનથી જ નહી પરંતુ જમીનદારો અને પુંજીપતિઓથી પણ પોતાને મુક્ત કરાવવા પડશે. ભગતસિંહે પોતાના એક અંતિમ સંદેશમા જણાવ્યુ છે કે ભારતમા ત્યા સુધી સંઘર્ષ ચાલુ રહેશે જ્યા સુધી મુઠ્ઠીભર શોષકો પોતાના સ્વાર્થ માટે સાધારણ જનતાની મહેનતનુ શોષણ કરશે –જો કે ભગતસિંહનો આખરી સંદેશ હાલના ભારતમા પણ લાગુ પડે છે પરંતુ આજના ભારતમા ભગતસિંહ, સુખદેવ તથા રાજગુરૂ જેવા દેશપ્રેમીઓની અછત બચાવી આગળ વધો...
જાગૃત નાગરિક
શુ આપણે જાગૃત નાગરિક છીએ? એના જવાબ મા ઘણા એમ વિચારતા હશે કે આપણે રોજ સમાચાર પત્રો વાંચીને દેશ ની ચિંતા કરીએ છીએ એટલે આપણે એક જાગૃત નાગરિક કહેવાય. પરંતુ શુ ફક્ત ચિંતા કરવાથી જાગૃત નાગરિક થઇ જવાય?દેશ ને આગળ વધારવા માટે આમ તો ઘણા બધા રસ્તા છે પરંતુ આપણે અહી ફક્ત એક જ રસ્તાની વાત કરવી છે –જાગૃતતા દાખવવાની. આપણામાથી ઘણા ને એમ થશે કે ફક્ત આપણા એક ના જાગૃત થવાથી શુ થવાનુ? બસ, આ જગ્યાએ થી જ આપણે જાગૃત થવાની જરૂર છે અને આ વિચારસરણી બદલવાની જરૂર છે. આમ જોઇએ તો આવી વિચારસરણી મા આપણો કોઇ વાંક નથી, કેમકે આપણને નાનપણ થી જ આ પ્રકાર ની કેળવણી મળી છે. પરંતુ આપણે હાલ ના સમયને અનુરૂપ તેમા ફેરફાર જરૂર કરવો રહ્યો.ઘણી વાર કોઇ ખરાબ પ્રસંગ હોય અને આપણે તે સહન ન કરી શકીએ અને ઉશ્કેરાઇ જઇએ ત્યારે ઘણા લોકો (ખાસ તો આપણા માતા-પિતા, વડીલો) આપણાને સમજાવે છે કે ‘ભાઇ આપણે શુ? આપણે કોઇ ની લપ મા પડવુ નથી’. ઉદાહરણ તરીકે રસ્તામા કોઇ બે વ્યક્તિ ઝઘડો કરી રહ્યા હોય,તેમાથી એક નિર્દોષ બીજા બળુકાનો માર ખાઇ રહ્યો હોય ત્યારે સામાન્ય માણસને એમ થાય કે પોલીસ આવે તો જ પેલો નિર્દોષ બીજાના માર થી બચી શકશે. પરંતુ પોલીસ ને બોલાવે કોણ? એવી હિંમત કરે કોણ? હિંમત ન કરવાનુ કારણ શુ? કારણ ફક્ત એક જ છે –‘આપણે શુ?’ આપણાને નાનપણ થી જ માતા પિતા અને વડીલો દ્વારા એવુ શીખવવામા આવ્યુ છે કે બીજા કોઇ ગમે તે કરે –છોકરી ની છેડતી કરે, દારૂ પી રસ્તામા ગાળો બોલે, નિર્દોષ લોકોને હેરાન કરે, કે પછી કોઇ અધિકારી પોતાની સત્તાનો દુરૂપયોગ કરે વગેરે... પણ એમા આપણે શુ? આપણે આપણા કામ થી જ મતલબ રાખવો.દેશના ઘણાખરા નાગરિકોના મનમા આ પ્રકારની વિચારસરણી છે તો પછી દેશનો વિકાસ કેમ થશે? આપણે ફક્ત આપણા વિકાસ થી જ મતલબ રાખવો જોઇએ? શુ દેશ પ્રત્યે આપણી કોઇ ફરજ નથી? અને ફક્ત આર્થિક રીતે વિકાસ કરવો એ જ કંઇ વિકાસ થોડો કહેવાય? સામાજીક વિકાસ પણ આર્થિક વિકાસ જેટલો જ જરૂરી છે. આવા સંજોગો મા આપણે કેમ કહી શકીએ કે આપણે બધા જાગૃત નાગરિકો છીએ!સ્વામી વિવેકાનંદ નુ ખુબ જ પ્રખ્યાત સુવાક્ય “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો” મા જાગો નો મતલબ ફક્ત ઉંઘ માથી જાગવાનો નથી તેમા પણ જાગૃત થવાનો જ બોધ રહેલો છે. તેથી આપણે સૌ ભારતીયો એ જાગવાની જરૂર છે અને દેશ ને આગળ વધારવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે. તેથી આજે જ નિશ્ચય કરો કે હુ આજથી જ એક જાગૃત નાગરિક બનીશ અને દેશને આગળ વધારવામા તથા તેનો વિકાસ કરવામા મારાથી શક્ય બધુ જ કરી છુટીશ.
શુ આપણે જાગૃત નાગરિક છીએ? એના જવાબ મા ઘણા એમ વિચારતા હશે કે આપણે રોજ સમાચાર પત્રો વાંચીને દેશ ની ચિંતા કરીએ છીએ એટલે આપણે એક જાગૃત નાગરિક કહેવાય. પરંતુ શુ ફક્ત ચિંતા કરવાથી જાગૃત નાગરિક થઇ જવાય?દેશ ને આગળ વધારવા માટે આમ તો ઘણા બધા રસ્તા છે પરંતુ આપણે અહી ફક્ત એક જ રસ્તાની વાત કરવી છે –જાગૃતતા દાખવવાની. આપણામાથી ઘણા ને એમ થશે કે ફક્ત આપણા એક ના જાગૃત થવાથી શુ થવાનુ? બસ, આ જગ્યાએ થી જ આપણે જાગૃત થવાની જરૂર છે અને આ વિચારસરણી બદલવાની જરૂર છે. આમ જોઇએ તો આવી વિચારસરણી મા આપણો કોઇ વાંક નથી, કેમકે આપણને નાનપણ થી જ આ પ્રકાર ની કેળવણી મળી છે. પરંતુ આપણે હાલ ના સમયને અનુરૂપ તેમા ફેરફાર જરૂર કરવો રહ્યો.ઘણી વાર કોઇ ખરાબ પ્રસંગ હોય અને આપણે તે સહન ન કરી શકીએ અને ઉશ્કેરાઇ જઇએ ત્યારે ઘણા લોકો (ખાસ તો આપણા માતા-પિતા, વડીલો) આપણાને સમજાવે છે કે ‘ભાઇ આપણે શુ? આપણે કોઇ ની લપ મા પડવુ નથી’. ઉદાહરણ તરીકે રસ્તામા કોઇ બે વ્યક્તિ ઝઘડો કરી રહ્યા હોય,તેમાથી એક નિર્દોષ બીજા બળુકાનો માર ખાઇ રહ્યો હોય ત્યારે સામાન્ય માણસને એમ થાય કે પોલીસ આવે તો જ પેલો નિર્દોષ બીજાના માર થી બચી શકશે. પરંતુ પોલીસ ને બોલાવે કોણ? એવી હિંમત કરે કોણ? હિંમત ન કરવાનુ કારણ શુ? કારણ ફક્ત એક જ છે –‘આપણે શુ?’ આપણાને નાનપણ થી જ માતા પિતા અને વડીલો દ્વારા એવુ શીખવવામા આવ્યુ છે કે બીજા કોઇ ગમે તે કરે –છોકરી ની છેડતી કરે, દારૂ પી રસ્તામા ગાળો બોલે, નિર્દોષ લોકોને હેરાન કરે, કે પછી કોઇ અધિકારી પોતાની સત્તાનો દુરૂપયોગ કરે વગેરે... પણ એમા આપણે શુ? આપણે આપણા કામ થી જ મતલબ રાખવો.દેશના ઘણાખરા નાગરિકોના મનમા આ પ્રકારની વિચારસરણી છે તો પછી દેશનો વિકાસ કેમ થશે? આપણે ફક્ત આપણા વિકાસ થી જ મતલબ રાખવો જોઇએ? શુ દેશ પ્રત્યે આપણી કોઇ ફરજ નથી? અને ફક્ત આર્થિક રીતે વિકાસ કરવો એ જ કંઇ વિકાસ થોડો કહેવાય? સામાજીક વિકાસ પણ આર્થિક વિકાસ જેટલો જ જરૂરી છે. આવા સંજોગો મા આપણે કેમ કહી શકીએ કે આપણે બધા જાગૃત નાગરિકો છીએ!સ્વામી વિવેકાનંદ નુ ખુબ જ પ્રખ્યાત સુવાક્ય “ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો” મા જાગો નો મતલબ ફક્ત ઉંઘ માથી જાગવાનો નથી તેમા પણ જાગૃત થવાનો જ બોધ રહેલો છે. તેથી આપણે સૌ ભારતીયો એ જાગવાની જરૂર છે અને દેશ ને આગળ વધારવા માટે બધાએ જાગૃત થવાની જરૂર છે. તેથી આજે જ નિશ્ચય કરો કે હુ આજથી જ એક જાગૃત નાગરિક બનીશ અને દેશને આગળ વધારવામા તથા તેનો વિકાસ કરવામા મારાથી શક્ય બધુ જ કરી છુટીશ.